મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં અધિકારી-કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનાર બે કેદીઓની ધરપકડ


SHARE









મોરબીની જેલમાં અધિકારી-કર્મચારીની ફરજમાં રૂકાવટ કરનાર બે કેદીઓની ધરપકડ

મોરબીની સબ જેલ ખાતે જેલમાં બંધ એક કેદી પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો અને અન્ય એક કેદીએ ચેકિંગની કામ કરી કરતા અધિકારી અને કર્મચારીને અપશબ્દો બોલીને ગેરવર્તન કર્યું હતું તેમજ ફરજમાં રૂકાવટ કરી હતી જેથી મોરબીની સબ જેલમાં બંધ બે કેદીઓની સામે મોરબી સબ જેલના જેલ સહાયકે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હાલમાં બે આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

રાજ્યની જુદી જુદી જેલમાંથી પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે મોબાઇલ, ગુટખા, પાન મસાલા વિગેરે મળી છે આવી જ રીતે મોરબીની સબજેલ ખાતે ચેકિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારે ત્યાં રહેલ કેદી જયરાજસિંહ વિજયસિંહ જાડેજામાં ગુપ્ત ભાગ પાસેથી સેમસંગ કંપનીનો સ્કાય બ્લૂ કલરનો એક મોબાઇલ મળી આવ્યો હતો તેમજ કેદી સૂર્યદિપસિંહ રણજીતસિંહ જાડેજાએ ઉસકેરાઈ જઈને અસભ્ય ભાષામાં શબ્દો બોલીને ગેરવર્તન કર્યું હતું અને ફરજમાં રૂકાવટ કરી હતી જેથી જેલ સહાયક ભરતભાઈ અમુભાઈ ખાંભરાએ બંને કેદીઓની સામે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી કલમ ૫૦૪, ૧૮૬, ૧૮૮, ૧૧૪ અને પિઝન એક્ટ કલમ ૪૨, ૪૩, ૪૫ ની પેટા કલમ ૧૨ મુજબ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પીએસઆઈ કે.એચ. ભોચિયાએ આરોપી જયરાજસિંહ વિજયસિંહ જાડેજા (૨૫) અને સૂર્યદિપસિંહ રણજીતસિંહ જાડેજા (૨૩) રહે. બંને હાલ મોરબી સબ જેલ વાળાની ધરપકડ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

વાંકાનેરના શકિતપરા વિસ્તારમાં રહેતો હેમંત બાબુભાઈ પરમાર નામનો ૨૦ વર્ષનો યુવાન મોરબીના મકનસર અને રફાળેશ્વર વચ્ચે નવી બનતી આરટીઓ કચેરી પાસેથી વાહનમાં જતો હતો ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હાલમાં તાલુકા પોલીસ બેઠકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના શારદાનગર ગામે રહેતા મીતાબેન શાંતિલાલ કંઝારીયા નામની ૪૨ વર્ષની મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે ગોરખીજડિયા પાસે વાડી વિસ્તારમાં બાઈક સાથે કોઈ જનાવર અથડાતા વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જે બનાવમાં ઇજાઓ થતા મીતાબેન કંઝારીયાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા બનાવને પગલે મોરબી એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફૂલતરીયા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.





Latest News