મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબી નજીકથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ત્રણ આરોપી જામીન મુક્ત


SHARE









મોરબી નજીકથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ત્રણ આરોપી જામીન મુક્ત

મોરબીના લાલપર ગામ પાસે ઘરમાંથી પોલીસે ૬ કિલોથી વધુ ગાંજાના જથ્થા સાથે ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને આં આરોપીઓએ તેના વકીલ મારફત મોરબીની કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી અને તેમાં આરોપીઓના વકીલે કરેલ દ્લિલને ધ્યાને લઈને કોર્ટે ત્રણેય આરોપીઓના શરતી જામીન મંજુર કર્યા છે

મોરબી નજીકના લાલપર ગામે અજંતા એપાર્ટમેન્ટના ફ્લેટમાં પોલીસે ગાંજાની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ગાંજાના જથ્થા સાથે અમિત શ્રીશાશું તિવારી રહે. હાલ જાંબુડિયા (બિહાર), વિનોદ મનોજરાય યાદવ અને વિવેશ વશિષ્ઠ નારાયણ મિશ્રા રહે. બંને હાલ લાલપર (બિહાર) વાળા મળી આવ્યા હતા અને તેની પાસેથી ૬ કિલો ૧૨૧ ગ્રામના ગાંજાના જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને એન.ડી.પી.એસ. એક્ટની કલમ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી આ આરોપીઓના વકીલ મોરબીના સીનીયર એડવોકેટ મનીષભાઈ પી. ઓઝા (ગોપાલભાઈ) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ.) તથા સેશન્સ જજની કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલ મનીષભાઈ ઓઝાએ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને દલીલ કરી હતી તેને ધ્યાને લઈને મોરબી કોર્ટે ત્રણેય આરોપીઓને ૧૦,૦૦૦ ના શરતી રેગ્યુલર જામીન આપ્યા છે આ કેસમાં આરોપી તરફે વકીલ મનીષભાઈ ઓઝા તથા મેનાઝ પરમાર રોકાયેલ હતા






Latest News