મોરબી નજીકથી ગાંજાના જથ્થા સાથે પકડાયેલ ત્રણ આરોપી જામીન મુક્ત
દંપતિ ખંડિત: ટંકારાના ધ્રુવનગર પાસે અકસ્માત બાદ રસ્તા ઉપર પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતાં મોત
SHARE
દંપતિ ખંડિત: ટંકારાના ધ્રુવનગર પાસે અકસ્માત બાદ રસ્તા ઉપર પટકાયેલ મહિલા ઉપર ટ્રક ફરી વળતાં મોત
ટંકારા તાલુકાનાં ધ્રુવનગર ગામ પાસે ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે ટ્રક ચાલકે તેને ઠોકર મારી હતી જેથી બાઈકમાંથી મહિલા નીચે પડી ગયેલ હતી અને તે સમયે પાછળ આવી રહેલ ટ્રક તેના ઉપર ફરી વાળ્યો હતો જેથી કરીને મહિલાનું મોત નીપજયું હતુ અને દંપતી ખંડિત થયું હતું અને મહિલાના પતિને પણ ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેને સારવારમાં ખસેડવામાં આવેલ હતો અને આં બનાવ સંદર્ભે હાલમાં ટંકારા પોલીસે ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે
બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રવાપર રોડ પર સરદાર પટેલ સોસાયટીના રહેવાસી ચંદ્રકાંતભાઈ ગોરધનભાઈ ખરચરીયા (૩૮) અને તેના પત્ની નીતાબેન ચંદ્રકાંતભાઈ ખરચરીયા (૩૬) બાઈક ઉપર મોરબીથી રાજકોટ જય રહ્યા હતા ત્યારે ટંકારા તાલુકાનાં ધ્રુવનગર ગામ પાસે જીવામામાના મંદિર પાસે અજાણ્યા ટ્રક ચાલકે બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને બાઈકમાંથી મહિલા નીચે પડી ગઈ હતી અને તેના ઉપર બીજા ટ્રકનું ટાયર ફરી વળતા નીતાબેનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને ચંદ્રકાંતભાઈને ઈજા થયેલ હતી જેથી કરીને તેને પણ સારવારમાં ખસેડાયા હતા અને મહિલાના મૃતદેહને પીએમ માટે ટંકારાની સરકારી હોસ્પિટલે જવામાં આવી હતી અને હાલમાં પોલીસે અકસ્માતના આં બનાવમાં ફરિયાદ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે