મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો રવિવારે કાર્યક્રમ યોજાશે
SHARE
મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો રવિવારે કાર્યક્રમ યોજાશે
મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ હાઈસ્કૂલ શ્રી હરિ નકલંક વિદ્યાલયના વાર્ષ 2006ની બેચની એસએસસીના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આ હાઇસ્કુલના દરેક પુર્વ વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:. પ્રાચિન કાળથી ભારતવર્ષમાં ગુરૂ શિષ્ય પરંપરા તેમજ તેમના સબંધો અનેરા ભાવપૂર્ણ અનેક દ્રષ્ટાંતરૂપ રહ્યા છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાન કૃષ્ણ, ગુરુ દ્રોણ અને તેના શિષ્ય અર્જુન આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે જેમાંથી પ્રેરણા લઇને મોરબીની બગથળા હાઈસ્કૂલના વર્ષ 2006 ના એસએસસીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરેલ છે અને તા 18/12 ને રવિવારે બપોરે ચાર કલાકે પટેલ સમાજ વાડી બગથળા ખાતે આ કાર્યક્રમ યોજાશે અને તેને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી ઉમેશભાઈ ઠોરીયા અને કાનજીભાઈ સારદીયા સહિતના જહમત ઉઠાવી રહ્યા છે