મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો રવિવારે કાર્યક્રમ યોજાશે


SHARE









મોરબીના બગથળા ગામે ગુરુવંદના અને સ્નેહમિલનનો રવિવારે કાર્યક્રમ યોજાશે

મોરબી તાલુકાના બગથળા ગામે આવેલ હાઈસ્કૂલ શ્રી હરિ નકલંક વિદ્યાલયના વાર્ષ 2006ની બેચની એસએસસીના વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આ હાઇસ્કુલના દરેક પુર્વ વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે આયોજકોએ અનુરોધ કરેલ છે

ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમ:. પ્રાચિન કાળથી ભારતવર્ષમાં ગુરૂ શિષ્ય પરંપરા તેમજ તેમના સબંધો અનેરા ભાવપૂર્ણ અનેક દ્રષ્ટાંતરૂપ રહ્યા છે. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાન કૃષ્ણ, ગુરુ દ્રોણ અને તેના શિષ્ય અર્જુન આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે જેમાંથી પ્રેરણા લઇને મોરબીની બગથળા હાઈસ્કૂલના વર્ષ 2006 ના એસએસસીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમનું આયોજન કરેલ છે અને તા 18/12 ને રવિવારે બપોરે ચાર કલાકે પટેલ સમાજ વાડી બગથળા ખાતે આ કાર્યક્રમ યોજાશે અને તેને સફળ બનાવવા માટે હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી ઉમેશભાઈ ઠોરીયા અને કાનજીભાઈ સારદીયા સહિતના જહમત ઉઠાવી રહ્યા છે






Latest News