મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે બાથરૂમમાં પડી જવાથી આધેડનું મોત નિપજ્યું: માલણીયાદ ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE









મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા આધેડ પોતાના ઘરે બાથરૂમમાં પડી ગયા હતા જેથી કરીને તેઓને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી તો માલણીયાદ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા દિલીપસિંહ સજુભા ઝાલા (ઉંમર વર્ષ 52) પોતાના ઘરે હતા ત્યારે પોતાના બાથરૂમની અંદર પડી જવાના કારણે તેઓને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળેલ઼ જ મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈતો તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પરિણીતાનો આપઘાત

હળવદ તાલુકાના માલણીયાદ ગામે જયપાલસિંહ સુરુભાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રણજીતભાઈ ગરાસીયાના પત્ની અસ્મિતાબેન (ઉંમર વર્ષ 25)એ ગત તારીખ 30/11 ના સવારના દસેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને પ્રાથમિક સારવાર વઢવાણમાં આપ્યા બાદ સુરેન્દ્રનગર ખાતે તેઓને વધુ સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે તેને લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન અસ્મિતાબેન નું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને આ બનાવની પંચમહાલ જીલ્લાના રહેવાસી ગોવિંદભાઇ ગલીભાઇ મુનિયાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News