ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામે બાથરૂમમાં પડી જવાથી આધેડનું મોત નિપજ્યું: માલણીયાદ ગામે ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવારમાં મોત


SHARE













મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા આધેડ પોતાના ઘરે બાથરૂમમાં પડી ગયા હતા જેથી કરીને તેઓને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી તો માલણીયાદ ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ પરિણીતાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતુ

બનાવવાની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે રહેતા દિલીપસિંહ સજુભા ઝાલા (ઉંમર વર્ષ 52) પોતાના ઘરે હતા ત્યારે પોતાના બાથરૂમની અંદર પડી જવાના કારણે તેઓને ઈજાઓ થઈ હતી જેથી કરીને તેનું ઘટના સ્થળેલ઼ જ મૃત્યુ નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈતો તપાસીને મૃત જાહેર કર્યા હતા ત્યાર બાદ અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

પરિણીતાનો આપઘાત

હળવદ તાલુકાના માલણીયાદ ગામે જયપાલસિંહ સુરુભાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા રણજીતભાઈ ગરાસીયાના પત્ની અસ્મિતાબેન (ઉંમર વર્ષ 25)એ ગત તારીખ 30/11 ના સવારના દસેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને પ્રાથમિક સારવાર વઢવાણમાં આપ્યા બાદ સુરેન્દ્રનગર ખાતે તેઓને વધુ સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે તેને લઈ જવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન અસ્મિતાબેન નું મૃત્યુ નીપજ્યું છે જેથી કરીને આ બનાવની પંચમહાલ જીલ્લાના રહેવાસી ગોવિંદભાઇ ગલીભાઇ મુનિયાએ હળવદ તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News