મોરબીના નાનીવાવડી ગામની સરકારી શાળાના શિક્ષકને ટીચિંગ એક્સેલન્ટ એવોર્ડ એનાયત
મોરબીના શારદાનગર ગામની એસટીની બસ ફરી ચાલુ કરવાની માંગ
SHARE
મોરબીના શારદાનગર ગામની એસટીની બસ ફરી ચાલુ કરવાની માંગ
મોરબીના જુદાજુદા ગામડેથી વિદ્યાર્થીઓએ અભ્યાસ માટે મોરબી આવતા હોય છે આવી જ રીતે મોરબીના શારદાનગર ગામથી ઘણા વિદ્યાર્થીઓએ મોરબી અભ્યાસ કરવા માટે આવે છે અને તે બસમાં ગોર ખીજડીયા ગામેથી વિદ્યાર્થીઓએ અને ગ્રામજનો મોરબી આવજા કરતાં હોય છે તો પણ આ બસને બંધ કરવામાં આવી છે જેથી કરીને ગોર ખીજડીયા ગ્રામ પંચાયત સરપંચ ગૌતમભાઈ મોરડિયાએ મોરબીના ડેપો મેનેજરને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગોર ખીજડીયા અને વનાળીયા ગામના વિદ્યાર્થીને સવારે શારદાનગર રૂટની એસટીની બસમાં અપડાઉન કરતાં હતા જો કે આ બસને થોડા સમયથી બંધ કરવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડે છે અને બંને ગામમાંથી અંદાજે ૬૦ જેટલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે આ બસમાં અપડાઉન કરે છે જેથી વિદ્યાર્થીઓની સુવિધા માટે આ બસને શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે









