મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં શિવાનંદ આશ્રમ દ્વારા તંદુરસ્તી તમારા હાથમાં પુસ્તક અર્પણ કરાયું


SHARE







મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં શિવાનંદ આશ્રમ દ્વારા તંદુરસ્તી તમારા હાથમાં પુસ્તક અર્પણ કરાયું

મોરબીમાં શાળાઓ માટે અનેકવિધ સેવાકીય પ્રવુતિ ચાલે છે, લોકો શાળાઓ માટે જરૂરી વસ્તુઓ જેવી જે કમ્પ્યુટર, એલ.ઈ.ડી. પંખા,બાળકો માટે સ્ટેશનરી કીટ વગેરે કંઈકને કંઈક દાન અર્પણ કરતા હોય છે ત્યારે શિવાનંદ આશ્રમ પ્રેરિત મોરબીમાં દિવ્ય જીવન સંઘ ચાલે છે,આ દિવ્ય જીવન સંઘ દ્વારા લોકો આરોગ્યપ્રદ જીવન જીવે,નાની મોટી તકલીફોના આયુર્વેદિક ઉપચારો કરીને સાજા થાય, આ આયુર્વેદિક દ્રવ્યો દરેકના રસોડામાંથી જ મળી રહે છે એનો ઉપયોગ કેવી રીતે કરવી એની સરળ સમજૂતી આપેલ છે જેમ કે માથાના દુખાવાના ઉપાયો,માથાના  વાળની માવજત,અનિંદ્રા-ઉંઘ સારી આવે તેના ઉપાયો,નશો ઉતારવાના ઉપાયો,આંખની માવજત,શ્વસનતંત્ર માવજત, પાચનતંત્ર માવજત સારવાર, હૃદયની માવજત, પ્રજનનતંત્ર માવજત,બાળકની માવજત સ્ત્રીઓના દર્દો ઉપાય અને સારવાર, ચામડીની  માવજત સાંધાનસ દુખાવા,વગેરે ૨૫૦ જેટલા રોગોના ઉપચારો માટેનું પુસ્તક તંદુરસ્તી તમારા હાથમાં ૬૦૦ પુસ્તકો મોરબી જિલ્લાની તમામ સરકારી શાળાઓ અને તમામ સીઆરસી અને બીઆરસીમાં તમામ કો.ઓર્ડીનેટર મારફત અર્પણ કરેલ છે એ બદલ શિક્ષક પરિવાર વતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા પુસ્તકના સંકલન કર્તા ડો.રજનીભાઈ ખીમજીભાઈ કાલરીયા દિવ્યજીવન સંઘ-મોરબી શિવાનંદ આશ્રમ-ઋષિકેશનો આભાર પ્રકટ કરેલ છે






Latest News