હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના કાલિકા પ્લોટમાંથી દાઉદ પલેજા સહિત ચાર શખ્સોને હદપાર કરાયા


SHARE







મોરબીના કાલિકા પ્લોટમાંથી દાઉદ પલેજા સહિત ચાર શખ્સોને હદપાર કરાયા

મોરબીમાં અવાર નવાર મારામારી અને દારૂના ગુનામાં પકડાતાં શખ્સો સામે હદપારની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા પોલીસે હાલમાં ચારેય આરોપીઓને મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરેલ છે.

મોરબી જિલ્લામાં અસામાજીક તત્વોઓને ડામવા માટે પોલીસ કામ કરી રહી છે ત્યારે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અવાર નવાર મારામારી, દેશીદારૂના ગુના પકડાયેલ દાઉદ ઉર્ફે દાવલો મામદભાઇ પલેજા, ફરદીનભાઇ દાઉદભાઇ પલેજા, અરમાનભાઇ દાઉદભાઇ ઉર્ફે દાવલો પલેજા અને જાવીદભાઇ ઉર્ફે મીટર અલીભાઇ પલેજા રહે. બધા જ કાલીકા પ્લોટ, બાવા અહેમદશા મસ્જીદની બાજુમા, મોરબી વાળાની હદપારીની દરખાસ્ત પ્રાંત અધિકારી સમક્ષ મોકલાવવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને ચારેય આરોપીને છ મહિના માટે મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર અને કચ્છ જીલ્લામાથી હદપાર કરેલ છે

આરોપીની ધરપકડ

મોરબી તાલુકા પોલીસ સ્ટેશને અપહરણ અને બળાત્કારની ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં છેલ્લા ૬ વર્ષથી આરોપી નાસતા ફરતા હતો તે આરોપી મોરબી તાલુકાનાં હરિપર ગામ પાસે આવેલ કારખાનામાં હોવાની માહિતી મળી હતી જેથી કરીને પોલીસે આરોપી રવિ કૈલાશ ઉર્ફે ગુડું નાગર જાતે નટ (૨૫) રહે. તુલસી અડ્ડા, યુપી વાળાની હરિપર ગામ પાસે આવેલ આઇકોલેક્સ કારખાનામાંથી ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને સોપવામાં આવેલ છે

આરોપીની ધરપકડ

મોરબી પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઇ વાઘેલા, ચંન્દ્રકાંતભાઇ વામજા તથા બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી હકિકત મળેલ હતી તેના આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હત્યા કેસના ગુનામાં પાકા કામના આરોપી જયંતીભાઇ નાનજીભાઇ રાઠોડ (૫૦) રહે. સુસવાવ તાલુકો હળવદ વાળો તા.૧૭/૧૧/૨૦૨૨ સુધી રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા મેળવી હતી અને તે પરત આવેલ ન હતો જેથી કરીને ફરાર થઇ ગયેલ કેદીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને સુસવાવ ગામેથી તેને પકડીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે સોપી આપવા તજવીજ કરેલ છે.






Latest News