વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે મોરબીમાં મકાનની લોનનો હપ્તો ભરવામાં મોડું થતાં યુવાનને ફાઇનાન્સ બેન્કના કર્મચારીએ ગાળો આપી માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબી નજીક રોડ ક્રોસ કરતી મહિલાને રિક્ષા ચાલકે હડફેટે લેતા બંને હાથમાં ફ્રેકચર-માથામાં હેમરેજ મોરબીના જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા 3 શખ્સ પકડાયા મોરબીમાં જુદીજુદી 4 જગ્યાએ રેડમાં 272 બોટલ વિદેશી દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે મતદાન: સાંજે ફેંસલો


SHARE











મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે મતદાન: સાંજે ફેંસલો

મોરબી બાર એસોસિએશનના હોદેદાર બનવા માટે આજે તા ૧૬ મી ના રોજ ચુંટણી યોજાઇ છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને પ્રમુખ સહિતના હોદા માટે ઉભેલા ઉમેદવારોમાંથી પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટણી કાઢવા માટે વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને આજે સાંજે જ ફેંસલો આવી જશે

મોરબીની કોર્ટમાં આજે મોરબી બાર અશોસીએશનના પ્રમુખ  સહિતના હોદેદારો માટે ચુંટણી યોજાઈ છે અને તેના માટે મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે આ ચુંટણીમાં પ્રમુખ પદ માટે જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ, મુછડીયા કમલાબેન ધનજીભાઈ, ઓઝા મનીષભાઈ પ્રવીણચંદ્ર અને રાઠોડ જયરાજસિંહ પી.એ ઉમેદવારી નોંધાવી છે તો ઉપપ્રમુખ પદ માટે ભટ્ટ ભરતકુમાર કનૈયાલાલ, જાડેજા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ અને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ, સેક્રેટરી પદ માટે દવે મહીધરભાઈ હીમાંશુભાઈ, અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ અને માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ મેદાનમાં છે જો કે, જોઈન્ટ સેક્રેટરી પદ માટે ડાભી અમીતભાઈ વાલજીભાઈ, હડીયલ પ્રવીણભાઈ નારણભાઈ અને જાડેજા યોગરાજસિંહ જે. અને કારોબારી સભ્યપદ પાસ માટે મેંદપરા હાર્દીકભાઈ થોભણભાઈ, પરમાર દેવજીભાઈ બીજલભાઈ, રાણપરા નીરાલીબેન ડી., શેરશીયા ધવલકુમાર ડી. અને ઝાલા બ્રીજરાજસિંહ નાનુભાએ ઉમેદવારી નોંધાવી છે અને આ તમામ ઉમેદવારોમાંથી મનપસંદ ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે વકીલો દ્વારા ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે વધુમાં મળતી માહિતી મુજબ આ ચુંટણીમાં મોરબી બાર એસો.માં નોંધાયેલા ૪૮૬ વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને સવારે ૧૦ થી લઈને બપોરના બે વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે ત્યાર બાદ મતગણતરી શરૂ કરવામાં આવશે અને સાંજે વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરાશે






Latest News