મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે મતદાન: સાંજે ફેંસલો


SHARE









મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે મતદાન: સાંજે ફેંસલો

મોરબી બાર એસોસિએશનના હોદેદાર બનવા માટે આજે તા ૧૬ મી ના રોજ ચુંટણી યોજાઇ છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને પ્રમુખ સહિતના હોદા માટે ઉભેલા ઉમેદવારોમાંથી પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટણી કાઢવા માટે વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને આજે સાંજે જ ફેંસલો આવી જશે

મોરબીની કોર્ટમાં આજે મોરબી બાર અશોસીએશનના પ્રમુખ  સહિતના હોદેદારો માટે ચુંટણી યોજાઈ છે અને તેના માટે મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે આ ચુંટણીમાં પ્રમુખ પદ માટે જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ, મુછડીયા કમલાબેન ધનજીભાઈ, ઓઝા મનીષભાઈ પ્રવીણચંદ્ર અને રાઠોડ જયરાજસિંહ પી.એ ઉમેદવારી નોંધાવી છે તો ઉપપ્રમુખ પદ માટે ભટ્ટ ભરતકુમાર કનૈયાલાલ, જાડેજા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ અને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ, સેક્રેટરી પદ માટે દવે મહીધરભાઈ હીમાંશુભાઈ, અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ અને માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ મેદાનમાં છે જો કે, જોઈન્ટ સેક્રેટરી પદ માટે ડાભી અમીતભાઈ વાલજીભાઈ, હડીયલ પ્રવીણભાઈ નારણભાઈ અને જાડેજા યોગરાજસિંહ જે. અને કારોબારી સભ્યપદ પાસ માટે મેંદપરા હાર્દીકભાઈ થોભણભાઈ, પરમાર દેવજીભાઈ બીજલભાઈ, રાણપરા નીરાલીબેન ડી., શેરશીયા ધવલકુમાર ડી. અને ઝાલા બ્રીજરાજસિંહ નાનુભાએ ઉમેદવારી નોંધાવી છે અને આ તમામ ઉમેદવારોમાંથી મનપસંદ ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે વકીલો દ્વારા ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે વધુમાં મળતી માહિતી મુજબ આ ચુંટણીમાં મોરબી બાર એસો.માં નોંધાયેલા ૪૮૬ વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને સવારે ૧૦ થી લઈને બપોરના બે વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે ત્યાર બાદ મતગણતરી શરૂ કરવામાં આવશે અને સાંજે વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરાશે






Latest News