ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે મતદાન: સાંજે ફેંસલો


SHARE













મોરબી બાર એસો.ના પ્રમુખ સહિતના હોદેદારો માટે આજે મતદાન: સાંજે ફેંસલો

મોરબી બાર એસોસિએશનના હોદેદાર બનવા માટે આજે તા ૧૬ મી ના રોજ ચુંટણી યોજાઇ છે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું છે અને પ્રમુખ સહિતના હોદા માટે ઉભેલા ઉમેદવારોમાંથી પોતાના મનપસંદ ઉમેદવારને ચૂંટણી કાઢવા માટે વકીલો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે અને આજે સાંજે જ ફેંસલો આવી જશે

મોરબીની કોર્ટમાં આજે મોરબી બાર અશોસીએશનના પ્રમુખ  સહિતના હોદેદારો માટે ચુંટણી યોજાઈ છે અને તેના માટે મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં ચાલી રહ્યું છે આ ચુંટણીમાં પ્રમુખ પદ માટે જેઠલોજા વિપુલભાઈ મગનભાઈ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ, મુછડીયા કમલાબેન ધનજીભાઈ, ઓઝા મનીષભાઈ પ્રવીણચંદ્ર અને રાઠોડ જયરાજસિંહ પી.એ ઉમેદવારી નોંધાવી છે તો ઉપપ્રમુખ પદ માટે ભટ્ટ ભરતકુમાર કનૈયાલાલ, જાડેજા ભુપેન્દ્રસિંહ દેવીસિંહ, માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ અને પારેખ અલ્પેશભાઈ ક્રિષ્નાલાલ, સેક્રેટરી પદ માટે દવે મહીધરભાઈ હીમાંશુભાઈ, અગેચાણીયા જીતેનભાઈ દીલીપભાઈ અને માનસેતા પ્રાણલાલ ધનજીભાઈ મેદાનમાં છે જો કે, જોઈન્ટ સેક્રેટરી પદ માટે ડાભી અમીતભાઈ વાલજીભાઈ, હડીયલ પ્રવીણભાઈ નારણભાઈ અને જાડેજા યોગરાજસિંહ જે. અને કારોબારી સભ્યપદ પાસ માટે મેંદપરા હાર્દીકભાઈ થોભણભાઈ, પરમાર દેવજીભાઈ બીજલભાઈ, રાણપરા નીરાલીબેન ડી., શેરશીયા ધવલકુમાર ડી. અને ઝાલા બ્રીજરાજસિંહ નાનુભાએ ઉમેદવારી નોંધાવી છે અને આ તમામ ઉમેદવારોમાંથી મનપસંદ ઉમેદવારોને ચૂંટી કાઢવા માટે વકીલો દ્વારા ઉત્સાહ સાથે મતદાન કરવામાં આવી રહ્યું છે વધુમાં મળતી માહિતી મુજબ આ ચુંટણીમાં મોરબી બાર એસો.માં નોંધાયેલા ૪૮૬ વકીલો દ્વારા મતદાન કરવામાં આવશે અને સવારે ૧૦ થી લઈને બપોરના બે વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલશે ત્યાર બાદ મતગણતરી શરૂ કરવામાં આવશે અને સાંજે વિજેતા ઉમેદવારોના નામ જાહેર કરાશે






Latest News