મોરબી જિલ્લાના ખાનપર તરફ જવાના રસ્તે કપાસ ભરેલ ટ્રકમાં આગ લાગતા નાશભાગ
મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ૨૫ ડિસેમ્બરે તુલસી દિવસ ઉજવાશે
SHARE
મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ૨૫ ડિસેમ્બરે તુલસી દિવસ ઉજવાશે
છેલ્લા છ વર્ષથી ૨૫ ડિસેમ્બરને મોરબીમાં સાર્થક વિદ્યા મંદિર દ્વારા તુલસી દિવસ તરીકે ઉજ્વવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે આગામી ૨૫ મી તારીખે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવશે આ વખતે શાળા દ્વારા સાતમો તુલસી દિવસ ઉજવાશે અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો હોવાથી આ કાર્યક્રમને શાળા દ્વારા દરવર્ષે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગત વર્ષે સાર્થક વિદ્યામંદિર ખાતે તુલસી દિવસની ઉજવણી કરી હતી. તેવી જ રીતે આ વર્ષે ૨૫ ડિસેમ્બર (નાતાલ) ના દિવસે તુલસી દિવસની ઉજવણી કરવામાં અને સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી આ ઉજવણી કરવામાં આવશે અને ત્યારે તુલસીના રોપા અને માંજરનું વિતરણ, તુલસી પૂજન, તુલસીનું મહત્વ દર્શાવતી પ્રદર્શનની અને તુલસી સન્માન અર્પણ કરવામાં આવશે આ તુલસી દિવસની ઉજવણીના ભાગરૂપે બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ સાર્થક સંસ્કૃતિ ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા ૨૪ ના રોજ તુલસી પર્વ -૧ (નર્સરીથી ધો.૫) અને તા. ૨૫ ના રોજ તુલસી પર્વ -૨ (ધો. ૬ થી ૧૨) એમ બે દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તેવું સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે