મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોના હસ્તે માટેલ મંદિરે કરાશે ધ્વજા રોહણ: મહાપ્રસાદનું પણ આયોજન
SHARE
મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોના હસ્તે માટેલ મંદિરે કરાશે ધ્વજા રોહણ: મહાપ્રસાદનું પણ આયોજન
મોરબી જીલ્લામાં વિધાનસભાની ચાર બેઠકો આવે છે તે તમામ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજય બનેલ છે ત્યારે મોરબી માલિયા, વાંકાનેર કુવાડવા, ટંકારા પડધરી અને હળવદ ધ્રાંગધ્રા બેઠકના વિજેતા ધારાસભ્યોના હસ્તે રવિવારે માટેલ મંદિરે ધ્વજા રોહણ કરવામાં આવશે અને ત્યારે મહાપ્રસાદ પણ યોજાશે
મોરબીના નવા ડેલા રોડ ઉપર આવેલ નવા ડેલા મિત્ર મંડળના દિલીપભાઇ ભટ્ટ તેમજ ચંદ્રેશભાઈ આડઠક્કર દ્વારા કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ સોમાણીની જીત માટે માટેલની માનતા રાખવામા આવી હતી અને અને તેના સહિત જિલ્લાના ચારેય ભાજપના ઉમેદવારો વિજય બનેલ છે જેથી કરીને તા ૧૮ ને રવિવારે માટેલ ખાતે ખોડિયાર મંદિરમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઇ સોમાણી, દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરાના હસ્તે પોણા અગિયાર વાગ્યે ધ્વજા રોહણ કરવામાં આવશે ત્યાર બાદ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે