ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોના પુતળાનું મોરબીમાં ધારાસભ્યએ કર્યું દહન


SHARE













પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોના પુતળાનું મોરબીમાં ધારાસભ્યએ કર્યું દહન

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ જે વાણી વિલાસ કર્યો હતો તેને લઈને તેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કલેકટરને આવેદન પણ આપવામાં આવ્યું છે અને પાકિસ્તાનનાં વિદેશમંત્રી માફી માંગે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, તાજેતરમાં યુએનએસસીની બેઠકમાં ભારતના વિદેશ મંત્રીના આતંકવાદ વિરુદ્ધ કડક વલણ અપનવાના મુદ્દે કોઈ જવાબ આપવાની અવસ્થામાં ન હોય પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોએ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બફાટ કર્યો હતો અને હીન કક્ષાનું નિવેદન આપ્યું હતું જેની સામે આક્રોશ વ્યક્ત કરવા માટે તેના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું






Latest News