મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોના પુતળાનું મોરબીમાં ધારાસભ્યએ કર્યું દહન


SHARE









પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોના પુતળાનું મોરબીમાં ધારાસભ્યએ કર્યું દહન

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ જે વાણી વિલાસ કર્યો હતો તેને લઈને તેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, મહામંત્રી જયદીપભાઈ હુંબલ સહિતના ભાજપના આગેવાનો, હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને ત્યારે ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના હસ્તે પાકિસ્તાનનાં વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ કલેકટરને આવેદન પણ આપવામાં આવ્યું છે અને પાકિસ્તાનનાં વિદેશમંત્રી માફી માંગે તેવી માંગ કરી છે અત્રે ઉલેખનીય છે કે, તાજેતરમાં યુએનએસસીની બેઠકમાં ભારતના વિદેશ મંત્રીના આતંકવાદ વિરુદ્ધ કડક વલણ અપનવાના મુદ્દે કોઈ જવાબ આપવાની અવસ્થામાં ન હોય પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવર ભુટ્ટોએ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ બફાટ કર્યો હતો અને હીન કક્ષાનું નિવેદન આપ્યું હતું જેની સામે આક્રોશ વ્યક્ત કરવા માટે તેના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું






Latest News