મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા આવશે: કાંતિભાઈ આમૃતિયા


SHARE







મોરબી જિલ્લામાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા આવશે: કાંતિભાઈ આમૃતિયા

મોરબી જિલ્લામાં આવતી વિધાનસભાની બે બેઠકો પર ભાજપના ઉમેદવારો વિજય બને તે માટે થઈને ભાજપના ટેકેદારોને સમર્થકો દ્વારા માનતા રાખવામાં આવી હતી અને આજે વાંકાનેર તાલુકામાં આવતા ખોડીયાર મંદિર ખાતે ભાજપના ટેકેદારો અને સમર્થકો દ્વારા તેની માનતા પૂરી કરવામાં આવી હતી ત્યારે ભાજપના વિજેતા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, જીતુભાઈ સોમાણી ત્યાં હાજર રહ્યા હતા અને આગામી સમયમાં મોરબી જિલ્લામાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા માટેની ચૂંટાયેલા ધારાસભ્યોએ ખાતરી આપી હતી 

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણેય પૈકીની બે બેઠકો ઉપર ભાજપનું કમળ ખીલી ઉઠે તે માટે થઈને ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવ્યું હતું અને ત્રણેય બેઠક ઉપર ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે જોકે ભાજપ દ્વારા મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર કાંતિભાઈ અમૃતિયા અને વાંકાનેર બેઠક ઉપર જીતુભાઈ સોમાણી ની ટિકિટ ફાઇનલ કરવામાં આવી ત્યારે ભાજપના ટેકેદારો અને સમર્થકો દ્વારા આ બંને લડાયક નેતાનો વિજય થાય તે માટે થઈને માનતાઓ રાખવામાં આવી હતી અને આવી જ રીતે મોરબીમાં નવા ડેલા મિત્ર મંડળના ચંદ્રેશભાઇ અને ડો. દિલીપભાઈ દ્વારા માટેલ ખોડીયાર મંદિરે 52 ગજની ધજા ચઢાવવાની માનતા રાખી હતી જે આજરોજ વાંકનેર તાલુકાના માટેલ ગામે આવેલ ખોડીયાર મંદિર ખાતે પૂરી કરવામાં આવી છે ત્યારે કાંતિભાઈ અમૃતિયા અને જીતુભાઈ સોમાણી બંને ત્યાં હાજર રહ્યા હતા જોકે દુર્લભજીભાઇ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરા ને પણ ત્યાં હાજર રહેવા માટે થઈને નિમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ અન્ય કાર્યક્રમ માટે વ્યસ્ત હોવાના કારણે તે ત્યાં આવી શક્યા ન હતા પરંતુ તમામ ધારાસભ્ય વતી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લાના લોકોની સુખ સુવિધામાં વધારો થાય અને સરકારની તમામ યોજનાઓનો લાભ મોરબી જિલ્લાના લોકોને મળે તે પ્રકારની કામગીરી મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્ય દ્વારા કરવામાં આવશે






Latest News