મોરબી જિલ્લામાં લોકોની સુખ સુવિધામાં વધારો થાય તે પ્રકારની કામગીરી કરવા આવશે: કાંતિભાઈ આમૃતિયા
મોરબીના કાંતિનગરમાં પરણીતાને તેના પતિએ પટ્ટા વડે માર માર્યો
SHARE
મોરબીના કાંતિનગરમાં પરણીતાને તેના પતિએ પટ્ટા વડે માર માર્યો
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કાંતિનગરમાં રહેતી પરણીતાને તેના પતિએ પટ્ટા વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં માળિયા ફાટક ચોકડી પાસે આવેલ કાંતિનગરમાં રહેતા મુમતાજબેન સિદ્દીકહુસેન માજોઠી (ઉંમર ૩૫) નામની મહિલા પોતાના ઘરે હતી ત્યારે તેના પતિએ તેને પટ્ટા વડે હાથે પગે માર માર્યો હતો અને જેથી કરીને તે મહિલાને મુંઢ ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મારામારીમાં ઇજા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ધર્મેશ વાલજીભાઈ અંબાલીયા નામના યુવાનને ઈજા થઈ હોવાથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈને આવ્યા હતા અને મારામારીના આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી