ટંકારાના જબલપુર ખાતે તાલુકા કક્ષાનું ગણિત-વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું
મોરબી પુલ દુર્ઘટનાને કારણે મોકૂફ રાખેલ સમસ્ત ઉધરેજા પરિવારનું છઠું સ્નેહમિલન યોજાયું
SHARE
મોરબી પુલ દુર્ઘટનાને કારણે મોકૂફ રાખેલ સમસ્ત ઉધરેજા પરિવારનું છઠું સ્નેહમિલન યોજાયું
સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષો થી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરતા આવ્યા છે પરંતુ કોરોના કાળના કારણે બે વર્ષથી સ્નેહમિલન થઇ શક્યું ન હતું. ત્યાર બાદ તા ૬/૧૧ ના રોજ સમસ્ત ઉધરેજા પરિવાર સ્નેહમિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કરેલ હતું પરંતુ ઓચિંતી મોરબી પર આવી પડેલ ઝુલતાપુલ દુર્ઘટનાના લીધે સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખેલ હતો જે તાજેતરમાં ભરતનગર પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે રાખવામા આવ્યો હતો ત્યારે ઉધરેજા પરિવાર સ્નેહ મિલનમાં સૌપ્રથમ કોરોના અને પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી જેમાં પરિવારના વડીલો, પરિવારના ડોક્ટરોનું અભિવાદન કર્યું હતું તથા પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું જેમાં વિધાર્થીઓને શિલ્ડથી માંડીને લેપટોપ તથા સ્કુટી આપીને સન્માન કરવામાં આવ્યું હતું