મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબી પુલ દુર્ઘટનાને કારણે મોકૂફ રાખેલ સમસ્ત ઉધરેજા પરિવારનું છઠું સ્નેહમિલન યોજાયું


SHARE







મોરબી પુલ દુર્ઘટનાને કારણે મોકૂફ રાખેલ સમસ્ત ઉધરેજા પરિવારનું છઠું સ્નેહમિલન યોજાયું

સમસ્ત ઉધરેજા પરિવાર છેલ્લા ઘણા વર્ષો થી સ્નેહમિલન અને વિધાર્થી સન્માન સમારોહનું આયોજન કરતા આવ્યા છે પરંતુ કોરોના કાળના કારણે બે વર્ષથી સ્નેહમિલન થઇ શક્યું ન હતું. ત્યાર બાદ તા ૬/૧૧ ના રોજ સમસ્ત ઉધરેજા પરિવાર સ્નેહમિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમનું આયોજન કરેલ હતું પરંતુ ઓચિંતી મોરબી પર આવી પડેલ ઝુલતાપુલ દુર્ઘટનાના લીધે સ્નેહમિલનનો કાર્યક્રમ મોકૂફ રાખેલ હતો જે તાજેતરમાં ભરતનગર પાસે આવેલ ભરતવન ફાર્મ ખાતે રાખવામા આવ્યો હતો ત્યારે ઉધરેજા પરિવાર સ્નેહ મિલનમાં સૌપ્રથમ કોરોના અને પુલ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરી જેમાં પરિવારના વડીલોપરિવારના ડોક્ટરોનું અભિવાદન કર્યું હતું તથા પરિવારના તેજસ્વી તારલાઓનું સન્માન કર્યું હતું જેમાં વિધાર્થીઓને શિલ્ડથી માંડીને લેપટોપ તથા સ્કુટી આપીને સન્માન કરવામાં આવ્યું હતું






Latest News