હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત મોરબીમાં સિરામિકના કારખાના બંધ હોય એસપી મુકેશ પટેલે ઉદ્યોગકારોને કર્યા મહત્વપૂર્ણ સૂચનો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાનાં ઘનશ્યામપુરમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન કેદ: એક નિર્દોષ


SHARE













હળવદ તાલુકાનાં ઘનશ્યામપુરમાં થયેલ હત્યાના ગુનામાં બે આરોપીને આજીવન કેદ: એક નિર્દોષ

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવતા ઘનશ્યામપુર ગામમાં વર્ષ ૨૦૧૬ માં ખેડૂતની માથે બોલેરો ચડાવીને તેની હત્યા કરવામાં આવી હતી જેની ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડ્યા હતા અને આ કેસ મોરબીની સ્પેશ્યલ એટ્રોસીટી કોર્ટેમાં ચાલી ગયો હતો જેમાં બે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે અને એક આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવેલ છે

હળવદના ઘનશ્યામપુર ગામે પોતાની જમીન પર કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડ અને તેના પરિવારના સભ્યો ગત તા.૩૧/૫/૨૦૧૬ ના રોજ ખેતીકામ કરતા હતા. ત્યારે નાગજીભાઈ લખમણભાઈ બાંભવા, વિનોદભાઈ ઉર્ફે વીનુંભાઈ અમરશીભાઈ રાતોજા અને ધીરુભાઈ ગોવિદભાઈ પટોળીયાએ કિશોરભાઈને જમીન ખાલી કરવાની ધમકી આપી હતી અને જમીન ખાલી ન કરતા કિશોરભાઈ રાઠોડની જમીન પચાવી પડવા આરોપીએ બોલેરો ગાડી તેની ઉપર ચડાવી દીધી હતી ત્યારે ખેતીકામ કરતા કિશોરભાઈ વાલજીભાઈ રાઠોડનું મોત નીપજ્યું હતું. જેથી કરીને નટુભાઈ વાલજી રાઠોડે ત્રણ શખ્સો સામે હત્યા અને હત્યાની કોષોશીની ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી અને આ હત્યાનો કેસ મોરબીની સ્પેશલ એટ્રોસીટી કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઈ દવેએ ૨૨ મૌખિક પુરાવા અને ૩૮ દસ્તાવેજી પુરવા રજૂ કર્યા હતા તેને ધ્યાને લઇને કોર્ટે આરોપીઓ નાગજીભાઈ લખમણભાઈ બાંભવા અને વિનોદભાઈ ઉર્ફે વીનુંભાઈ અમરશીભાઈ રાતોજાને આજીવન કેદ અને ૨૫ હજાર રૂપિયાનો દંડ કર્યો છે અને આરોપી ધીરુભાઈ ગોવિદભાઈ પટોળીયાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કરેલ છે




Latest News