મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાએ સામાન્ય નાગરિકની જેમ કતારમાં ઉભા રહીને  પારિવાર સાથે મતદાન કર્યું હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત


SHARE













મોરબીના જેતપર ગામે ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ગામે આદિવાસી યુવાન ઝેરી દવા પી ગયો હતો જેનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જેતપર ગામે રહીને ખેત મજૂરી કામ કરતાં કાંતિભાઈ ગણપતભાઇ નાયક જાતે આદિવાસી નામનો ૪૦ વર્ષનો યુવાન થોડા દિવસો પહેલાં ઝેરી દવા પી ગયો હતો જેથી તેને જેતપરના પીએચસી ખાતે સારવારમાં ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અહીંની સિવિલ હોસ્પીટલે લાવવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન કાંતિભાઇ આદીવાસીનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. બનાવ સંદર્ભે બીટ વિસ્તારના જમાદાર આર.બી.વ્યાસ તપાસ ચલાવી રહ્યા છે.તેમના જણાવ્યા પ્રમાણે મૃતકને તેના વતનમાં દેવું થઈ ગયું હોય તે વાતના ટેન્શનમાં તેણે ઉપરોક્ત અંતિમ પગલું ભર્યું હોય તેવું હાલ તપાસમાં ખુલ્યું છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના ભરતનગર અને લક્ષ્મીનગર વચ્ચે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આઈ ટેન કાર ટ્રકની સાથે અથડાતા સુરેન્દ્રનગર જિલ્લાના લીયા નજીક આવેલા ભૃગુપુર ગામે રહેતા મરિયમબેન વાહીદભાઈ શાહમદાર અને મયુદ્દીનભાઈ મહેબુબભાઇ દિવાન નામની બે વ્યક્તિઓને ઇજાઓ થવાથી શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા હતા.

યુવતી સારવારમાં

મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી આરતીબેન ધનજીભાઈ રાણવા નામની અઢાર વર્ષીય યુવતી કોઇ અજાણી દવા પી જતાં તેણીને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવી હતી બનાવને પગલે બીટ વિસ્તારના જમાદાર જે.જે.ડાંગરે તપાસ હાથ ધરી છે. જ્યારે મોરબી તાલુકાના ખાનપર ગામે પ્રકાશભાઈ તળસીભાઇની વાડીએ થયેલ મારામારીના બનાવમાં ઘવાયેલા દિનેશ છગનભાઈ પોલાર નામના ૨૫ વર્ષીય યુવાનને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ






Latest News