મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયની પુણ્યતિથિ નિમિત્તે ચિત્રા હનુમાનજી ધૂન મંડળનું પ્રેરણાદાયી કાર્ય


SHARE









મોરબીમાં ગાયની પુણ્યતિથિ નિમિત્તે ચિત્રા હનુમાનજી ધૂન મંડળનું પ્રેરણાદાયી કાર્ય

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા નાની વાવડી માધવ અંધ અપંગ ગૌશાળાની ગોપી ગાયની પાંચમી  પુણ્યતિથિ નિમિત્તે   નાની વાવડી ગામ સમસ્ત તથા માધવ ગૌશાળાના સંચાલક ચેતન પડસુંબિયા અને તેની ટીમ દ્વારા ધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.ધૂન રામજી મંદિર ચોકમાં રાખવામાં આવી હતી જેમાં ગામના સમસ્ત ગૌપ્રેમી ભાઈ-બહેનોએ ધૂનમાં આનંદ સાથે રાસ લીધો હતો સાથે ચિત્રા ધૂનમંડળના તમામ સભ્યો પણ રાસે રમ્યા હતા.તેમજ મંડળના સ્ટેજ કલાકાર સભ્યો ભજનિક રતિલાલ પટેલ, હેમંતભાઈ ભીમાણી, ચંદુભાઈ કડિવાર વગેરેએ ધૂનની જમાવટ કરેલ અને સાથે તબલા વાદક અંબારામ 

પટેલ, મંજીરા વાદક રતિલાલભાઈ, મહાદેવભાઇ, પ્રાણજીવનભાઈ વિગેરેએ સાથ આપી ધુનમાં જમાવટ કરી હતી.સૌ પ્રથમ વખત એક ગૌ માતાની પુણ્યતીથી નિમિતે ધુનનો લ્હાવો મળ્યો આ ધૂનમાં નાની વાવડી ગ્રામજનો થકી દાનની સરવાણી વહાવીને રૂ. ૬૩,૦૦૦ જેવું દાન એકત્રીત થયુ હતુ. જે તમામ દાન ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્રારા માધવ અંધ અપંગ ગૌશાળામાં અર્પણ કરવામાં આવ્યું તેમ મંડળના પ્રમુખ ટી.સી.ફૂલતરિયા અને ચંદુભાઈ કડીવારે યાદીમાં જણાવેલ છે.

ત્રાજપર (ખારી) ગામે  ડિસેમ્બરે બાર બીજનું ઉજવણું

મોરબીના ત્રાજપર (ખારી) ગામે આગામી તા.૨૬ ડિસેમ્બરને સોમવારના રોજ રામદેવ પીર મંદિરે બાર બીજનું ઉજવણું કાર્યક્રમ યોજાશે.જે અંતર્ગત ૨૫ ડિસેમ્બરે રાત્રે ૮ કલાકે રામામંડળ ભજવવામાં આવશે.જ્યારે ૨૬ ડિસેમ્બરે સવારે ૯ કલાકે વરઘોડો નીકળશે અને બપોરે ૧૧ કલાકે રામદેવપીરના મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.આ ધાર્મિક કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા જય રામાપીર રામામંડળ- ત્રાજપર (ખારી) દ્રારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News