મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયની પુણ્યતિથિ નિમિત્તે ચિત્રા હનુમાનજી ધૂન મંડળનું પ્રેરણાદાયી કાર્ય


SHARE













મોરબીમાં ગાયની પુણ્યતિથિ નિમિત્તે ચિત્રા હનુમાનજી ધૂન મંડળનું પ્રેરણાદાયી કાર્ય

મોરબીના ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા નાની વાવડી માધવ અંધ અપંગ ગૌશાળાની ગોપી ગાયની પાંચમી  પુણ્યતિથિ નિમિત્તે   નાની વાવડી ગામ સમસ્ત તથા માધવ ગૌશાળાના સંચાલક ચેતન પડસુંબિયા અને તેની ટીમ દ્વારા ધુનનું આયોજન કરવામાં આવ્યું હતું.ધૂન રામજી મંદિર ચોકમાં રાખવામાં આવી હતી જેમાં ગામના સમસ્ત ગૌપ્રેમી ભાઈ-બહેનોએ ધૂનમાં આનંદ સાથે રાસ લીધો હતો સાથે ચિત્રા ધૂનમંડળના તમામ સભ્યો પણ રાસે રમ્યા હતા.તેમજ મંડળના સ્ટેજ કલાકાર સભ્યો ભજનિક રતિલાલ પટેલ, હેમંતભાઈ ભીમાણી, ચંદુભાઈ કડિવાર વગેરેએ ધૂનની જમાવટ કરેલ અને સાથે તબલા વાદક અંબારામ 

પટેલ, મંજીરા વાદક રતિલાલભાઈ, મહાદેવભાઇ, પ્રાણજીવનભાઈ વિગેરેએ સાથ આપી ધુનમાં જમાવટ કરી હતી.સૌ પ્રથમ વખત એક ગૌ માતાની પુણ્યતીથી નિમિતે ધુનનો લ્હાવો મળ્યો આ ધૂનમાં નાની વાવડી ગ્રામજનો થકી દાનની સરવાણી વહાવીને રૂ. ૬૩,૦૦૦ જેવું દાન એકત્રીત થયુ હતુ. જે તમામ દાન ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્રારા માધવ અંધ અપંગ ગૌશાળામાં અર્પણ કરવામાં આવ્યું તેમ મંડળના પ્રમુખ ટી.સી.ફૂલતરિયા અને ચંદુભાઈ કડીવારે યાદીમાં જણાવેલ છે.

ત્રાજપર (ખારી) ગામે  ડિસેમ્બરે બાર બીજનું ઉજવણું

મોરબીના ત્રાજપર (ખારી) ગામે આગામી તા.૨૬ ડિસેમ્બરને સોમવારના રોજ રામદેવ પીર મંદિરે બાર બીજનું ઉજવણું કાર્યક્રમ યોજાશે.જે અંતર્ગત ૨૫ ડિસેમ્બરે રાત્રે ૮ કલાકે રામામંડળ ભજવવામાં આવશે.જ્યારે ૨૬ ડિસેમ્બરે સવારે ૯ કલાકે વરઘોડો નીકળશે અને બપોરે ૧૧ કલાકે રામદેવપીરના મંદિરે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું છે.આ ધાર્મિક કાર્યક્રમમાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા જય રામાપીર રામામંડળ- ત્રાજપર (ખારી) દ્રારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે






Latest News