મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં કાલરીયા પરિવારનો પ્રથમ વાર સ્નેહમિલન કાર્યક્રમ


SHARE













મોરબીમાં કાલરીયા પરિવારનો પ્રથમ વાર સ્નેહમિલન કાર્યક્રમ

મોરબી મુકામે ગત તા.૧૮ ડિસેમ્બરના રોજ રવાપર ગામે સરસ્વતી પાર્ટી પ્લોટમાં મોરબીમાં રહેતા સમસ્ત કાલરીયા પરિવારનો પ્રથમ વાર સ્નેહમિલન કાર્યક્રમ આયોજિત થયો હતો જેમાં ૫૦૦ થી વધારે મોરબીમાં રહેતા કાલરીયા પરિવાર મળીને ૧૭૦૦ થી ૨૦૦૦ જેટલા લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

આ કાર્યક્રમમાં પરિવારના અગ્રણીઓ તેમજ સંતો મહંતો કબીર આશ્રમના મહંત શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શિવરામદાસ સાહેબજી તથા નકલંકધામ બગથળાના મહંત દામજી ભગતે ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વૃદ્ધિ કરી હતી.કાર્યક્રમની અંદર પરિવારના જ બે અગ્રણી જીએએસ ઓફિસ બ્રિજેશ અતુલ કાલરીયા તેમજ યાગ્નિક અમૃતલાલ કલરીયાએ ઉપસ્થિત રહી પરિવારના બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમમાં પરિવારના બાળકો સ્ત્રીઓ તેમજ સર્વેએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રદર્શન પણ જોઇ હતી અને વિવિધ ગામના લોકોએ સ્વયં સેવા પૂરી પાડીને કાર્યક્રમની ખુબ સુંદર રીતે પાર પાડ્યો હતો.કાર્યક્રમમાં લોકજાગૃતિ લાવવા માટે મા-બાપને ભૂલશો નહીં, સ્ત્રી જાગૃતિ, વ્યસન મુક્તિ, બાળ ઉછેર વગેરે જેવા જાગૃતિના કાર્યક્રમો અને સંદેશાઓ વહેતા મૂકવામાં આવ્યા હતા.આ કાર્યક્રમની સફળ બનાવવા માટે સમસ્ત કાલરીયા પરિવારોના આગેવાનો, સ્વયંસેવકો તેમજ પરિવારના સભ્યોએ સંપૂર્ણ યોગદાન અને પ્રોત્સાહન પૂરું પાડેલ હતું.






Latest News