મોરબી ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ડાન્સ કોમ્પિટિશન ૮ મી જાન્યુઆરીએ યોજાશે
ખેડૂતોની બઘડાટીની અસર: મોરબીના ડેમી-૩ ડેમમાંથી તાત્કાલિક ૩૦ એમસીએફટી પાણી છોડવામાં આવ્યું
SHARE
ખેડૂતોની બઘડાટીની અસર: મોરબીના ડેમી-૩ ડેમમાંથી તાત્કાલિક ૩૦ એમસીએફટી પાણી છોડવામાં આવ્યું
મોરબી જિલ્લામાં આવેલ ડેમી-૩ ડેમમાંથી પૂરતા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવે તેવી માંગ સાથે આમરણ ગામના ખેડૂતો કાર્યપાલક ઇજનેરી કચેરીએ પહોંચ્યા હતા અને ત્યાં પાણી આપો પાણી આપોના સૂત્રોચાર કર્યા હતા અને ત્યારબાદ ખેડૂતોએ સિંચાઈ વિભાગના અધિકારીને ઉગ્ર રજૂઆત કરી હતી અને ચાર દરવાજાને બે ફૂટે એક સાથે ખોલવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જેને ધ્યાને લઈને અધિકારી સ્થળ ઉપર દોડી જઈને આમરણ સુધીના ગ્રામ્ય વિસ્તારોને શિયાળુ પાક લેવા માટે થઈને સિંચાઈનું પાણી મળી રહે તે માટે ચાર દરવાજાને બે ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા અને સિંચાઈ વિભાગના અધિકારીના કહેવા મુજબ ખેડૂતને સિચાઈ માટે હાલમાં ડેમી નદીમાં ડેમમાંથી ૩૦ એમસીએફટી પાણી છોડવામાં આવ્યું છે