મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર હળવદના જુના વેગડવાવ ગામના યુવાને કરેલ ફરિયાદનો ખાર રાખીને પિતા-પુત્રએ આપી મારી નાખવાની ધમકી મોરબીના બગથળા ગામનો ધ્રુણાસ્પદ બનાવ : દુકાને ભાગ લેવા આવેલ ૧૪ વર્ષની સગીર સાથે અડપલા કરનાર જેલ હવાલે
Breaking news
Morbi Today

મોરબી માળિયા હાઇવે ઉપર પેટ્રોલ પંપની ઓરડીમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત


SHARE











મોરબી માળિયા હાઇવે ઉપર પેટ્રોલ પંપની ઓરડીમાં ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત

મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સિરામિક કારખાનાની સામે આવેલ પેટ્રોલપંપની પાછળના ભાગમાં આવેલ રૂમમાં યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવી જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા રવિભાઈ પ્રભાતભાઈ ડાંગરે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણકારી હતી કે મોરબી માળીયા હાઇવે ઉપર આવેલ કાવેરી સીરામીકની સામેના ભાગમાં પેટ્રોલિયમની ઓરડીમાં મૂળ બનાસકાંઠાના ઉજેન ગામનો રહેવાસી રમેશભાઈ કાળુભાઈ રાવલ (૪૧) નામનો યુવાન રહેતો હતો તેને ઓરડીની અંદર ગળાફાંસો ખાઈ લીધો છે જેથી મોરબી સીટી બી ડિવિઝન પોલીસની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી અને ત્યાર બાદ આપઘાત કરી લેનાર યુવાનના મૃતદેહને હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો હતો તે દિશામાં આગળની તપાસ શરૂ કરવામાં આવી છે

યુવાનનું મોત
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ધર્મમંગલ સોસાયટીમાં રહેતા હરેશભાઈ કનૈયાલાલ વસિયાણી (૩૨) નામના યુવાનને તે ઘરે હતો ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યો હતો જેથી તેને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News