મોરબી સિવિલ હોસ્પિટલની ધારાસભ્ય સહિતના ભાજપના આગેવાનોએ મુલાકાત લીધી
મોરબીના જડેશ્વર રોડે અકસ્માત કરીને વૃદ્ધનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ
SHARE
મોરબીના જડેશ્વર રોડે અકસ્માત કરીને વૃદ્ધનું મોત નિપજાવનાર બાઇક ચાલકની ધરપકડ
મોરબીમાં આવેલ જડેશ્વર મંદિર પાસે જડેશ્વર રોડ ઉપરથી ચાલીને પગપાળા જતા વૃદ્ધને પાછળથી બાઇક ચાલકે હડફેટ લીધા હતા જેથી વૃદ્ધને માથામાં તથા શરીરે ઇજાઓ થઈ હતી માટે તેને સારવારમાં ખસેડાયા હતા જો કે, તે વૃદ્ધનું સારવારમાં મોત નીપજ્યું હતું જેથી મૃતકના ભાઈએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી છે
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ભગવતીપરા-૧ માં રહેતા અને લુહારી કામ કરતા બળવંતભાઈ ટપુભાઈ રાઠોડ જાતે લુહાર (૫૭) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી કે, મોરબીના જડેશ્વર રોડ ઉપર આવેલ ભવ્ય ઈલેક્ટ્રીક નામની દુકાન પાસેથી તેના ભાઈ હસમુખભાઈ ટપુભાઈ રાઠોડ પગપાળા ચાલીને જતા હતા ત્યારે તેઓને પાછળથી કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા હતા અને પછાડી દીધા હતા જેથી કરીને હસમુખભાઈને માથામાં તેમજ શરીરે ઇજાઓ થઈ હોવાથી સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું જેથી મૃતક વૃદ્ધના ભાઈની ફરિયાદ લઈને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે અકસ્માત સર્જનાર બાઇક ચાલક વસીમ યુસુફભાઈ માણેક જાતે મિયાણા (૨૦) રહે. મદીના સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરલે છે