મોરબીની નીલકંઠ સ્કૂલમાં તુલસી દિવસની ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરાઇ
SHARE
મોરબીની નીલકંઠ સ્કૂલમાં તુલસી દિવસની ભારતીય સંસ્કૃતિ મુજબ ઉજવણી કરાઇ
આપણે જાણીયે છીએ કે દિવસે ને દિવસે સમય જતા સમગ્ર વિશ્વ ભારતની પ્રાચીન સંસ્કૃતિને સ્વીકારીને અનુસરવાનું શરૂ કર્યું છે. ત્યારે ભારતના અમુક યુવા નાગરિકોએ મોડર્ન દેખાવાની સ્પર્ધામાં વિદેશી સંસ્કૃતિનો સ્વીકાર કરતા થયા છે. તો આ વિદેશી સંસ્કૃતિમાંથી આઝાદી મેળવવા અને ભારતની મૂલ્યવાન પ્રાચીન સંસ્કૃતિના પુનરૂત્થાન અને ભારતને વિશ્વ ગુરુ બનાવવા માટે તથા વિદ્યાર્થીઓ થકી સમાજને એક અનેરો સંદેશો આપવા ભારતીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરવા નીલકંઠ સ્કૂલના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો દ્વારા તુલસી પૂજનનું આયોજન કરેલ હતુ અને તુલસી પૂજનમાં વિદ્યાર્થીઓ તુલસીના છોડનું પૂજન કર્યું હતુ તથા તુલસીની આરતી કરી ઉજવણી કરવામાં આવી હતી અને દરેક વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિમાં તુલસી પૂજનનું મહત્વ સમજ્યું અને સમાજને ભારતીય સંસ્કુતિ અનુસરવા અને ફેલાવો કરવા સંદેશો આપવામાં આવ્યો હતો તેમજ વિદ્યાર્થીઓ માટે તુલસી ઉપર એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ હતુ જેમાં ધો.5 થી 9 ના દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.અને તુલસી ઉપર 20 મિનિટમાં 20 માર્કસનો નિબંધ લખ્યો હતો અને પ્રોત્સાહનના ભાગ રૂપે દરેક ધોરણ મુજબ વિદ્યાર્થીઓને પ્રથમ પાંચ નંબર આપી સન્માનવામાં આવ્યા હતા. આ તકે નીલકંઠ સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને સૂપરવાઇજર દ્વારા વિજેતા થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા









