મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે માળીયા (મી)ના નવલખી પોર્ટ ખાતે કાકા સાથે રહેતા સગીરને બે દિવસ પછી રાજકોટ માતા પાસે જવાનું કહેતા અતિંમ પગલુ ભર્યુ-મોત મોરબીના સોખડા ગામે ઘરેથી નીકળી ગયેલ માનસિક બીમાર યુવાનનો ખેતરમાંથી કોહવાય ગયેલ હાલતમાં મૃતદેહ મળ્યો: વાંકનેરમાં વૃદ્ધનું બીમારી સબબ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં શૌચાલય બનાવો-બંધ પડેલ શૌચાલય શરૂ કરવા સીએમને રજુઆત


SHARE











મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં શૌચાલય બનાવો-બંધ પડેલ શૌચાલય શરૂ કરવા સીએમને રજુઆત

મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ અને તેના પરિવારજનો આવતા હોય છે ત્યારે ત્યાં શૌચાલય ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે અને સિવિલ હોસ્પિટલ પાસે આવેલ શૌચાલય ઘણા સમયથી બંધ છે જેથી કરીને મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા આ મુદે ચીફ ઓફિસર અને કલેકટરને રજૂઆતો કરવામાં આવી છે તો પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને હાલમાં સીએમને શૌચાલય માટે રજૂઆત કરવામાં આવી છે

મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, મૂકુંરાય જોશી, વાલજીભાઈ મૂછડિયા,  અશોકભાઇ ખરચરિયા અને મુસાભાઈ બ્લોચ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં શૌચાલય બંધ છે જેથી કરીને દર્દીઓ અને તેના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડે છે અને ગાંધીચોકનું શૌચાલય છે જો કે, તે વર્ષોથી બંધ છે તો પણ તેને ચાલુ કરવા માટેની તસ્દી લેવામાં આવી રહી નથી જેથી કરીને આસપાસના વેપારીઓ અને બહારથી આવતા લોકોને મુશ્કેલીનો  સામનો કરવો પડે છે. ત્યારે તાત્કાલિક શૌચાલયનો પ્રશ્ન ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ મોરબીના નહેરૂગેઉટ ચોકમાં નવું મહિલા શૌચાયલ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યાંથી પાણીની મોટરની ચોરી કરવામાં આવી છે તો પણ પાલિકા દ્વારા કોઈ કાર્યાવહી કરવામાં આવી નથી જેથી આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે






Latest News