કચ્છના સાંસદે લોકસભાના શિયાળુ સત્રમાં ૧૭ થી પ્રશ્નો રજુ કર્યા
મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં શૌચાલય બનાવો-બંધ પડેલ શૌચાલય શરૂ કરવા સીએમને રજુઆત
SHARE
મોરબીમાં સિવિલ હોસ્પિટલમાં શૌચાલય બનાવો-બંધ પડેલ શૌચાલય શરૂ કરવા સીએમને રજુઆત
મોરબીની સિવિલ હોસ્પિટલમાં ઘણા દર્દીઓ અને તેના પરિવારજનો આવતા હોય છે ત્યારે ત્યાં શૌચાલય ન હોવાથી લોકોને હેરાન થવું પડે છે અને સિવિલ હોસ્પિટલ પાસે આવેલ શૌચાલય ઘણા સમયથી બંધ છે જેથી કરીને મોરબીના સામાજીક કાર્યકરો દ્વારા આ મુદે ચીફ ઓફિસર અને કલેકટરને રજૂઆતો કરવામાં આવી છે તો પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી જેથી કરીને હાલમાં સીએમને શૌચાલય માટે રજૂઆત કરવામાં આવી છે
મોરબીના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઇ બાંભણીયા, મૂકુંરાય જોશી, વાલજીભાઈ મૂછડિયા, અશોકભાઇ ખરચરિયા અને મુસાભાઈ બ્લોચ દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી સિવિલ હોસ્પિટલમાં શૌચાલય બંધ છે જેથી કરીને દર્દીઓ અને તેના પરિવારજનોને હાલાકીનો સામનો કરવો પડે છે અને ગાંધીચોકનું શૌચાલય છે જો કે, તે વર્ષોથી બંધ છે તો પણ તેને ચાલુ કરવા માટેની તસ્દી લેવામાં આવી રહી નથી જેથી કરીને આસપાસના વેપારીઓ અને બહારથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે તાત્કાલિક શૌચાલયનો પ્રશ્ન ઉકેલવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ મોરબીના નહેરૂગેઉટ ચોકમાં નવું મહિલા શૌચાયલ ચાલુ કરવામાં આવ્યું હતું ત્યાંથી પાણીની મોટરની ચોરી કરવામાં આવી છે તો પણ પાલિકા દ્વારા કોઈ કાર્યાવહી કરવામાં આવી નથી જેથી આ બાબતે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે









