મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીના બાયપાસ રોડ ઉપરથી 10 જેટલા કાચા પાકા દબાણોને મનપાની ટીમે તોડી પાડ્યા મોરબીમાં ઘરેલુ હિંસાથી પીડિત સગર્ભા મહિલાને અજુગતુ પગલુ ભરતા બચાવતી 181 અભયમ ટીમ વાંકાનેરમાં મંદિરના નવનિર્માણના નામે જુદાજુદા બે લક્કી ડ્રોની ટિકિટોનું વેચાણ કરતો એજન્ટ પકડાયો: 13 સામે ગુનો નોંધાયો મોરબીના નીચી માંડલ પાસે રોડ ક્રોસ કરતાં યુવાનને ડમ્પર ચાલકે હડફેટે લેતા પગમાં 3 ફ્રેકચર: વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા ટંકારાના સાવડી ગામ પાસે બાઇક ચાલકે સાયકલને ટક્કર મારતા ઇજા પામેલા આધેડનું સારવારમાં મોત વાંકાનેર-માળીયા તાલુકા અને મોરબી શહેરમાં વિદેશી દારૂની 4 રેડ: દારૂની નાની મોટી 30 બોટલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુનગરમાં વીજ શોક લગતા ગાયનું મોત


SHARE











મોરબીના મચ્છુનગરમાં વીજ શોક લગતા ગાયનું મોત

મોરબીના મચ્છુનગર પાસે પીજીવીસીએલના થાંભલા નજીક વીજ વાયરને ગાય અડી ગઈ હતી જેથી કરીને તે ગાયને વીજ શોક લાગ્યો હતો અને ગાયનું મોત નીપજ્યું હતું જેથી માલધારી દ્વારા આ અંગેની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના મચ્છુનગરમાં રહેતા મોતીભાઈ સુરેશભાઈ પરસાણીયા જાતે ભરવાડ (૨૫) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસને જાણ કરી હતી કે મચ્છુનગરમાં કેનાલ પાસે પીજીવીસીએલના થાંભલા નજીક ગાય હતી ત્યારે વીજ વાયરને ગાય અડી જતાં તેને શોક લાગ્યો હતો અને ગાયનું મોત નિપજ્યું હતું જેથી કરીને હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસે આ અંગેની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ બૌદ્ધનગરમાં રહેતો હિતેશ દેવજીભાઈ મુછડીયા (૩૨) નામનો યુવાન નજરબાગ પાસે મેલડી માતાજીના મંદિર નજીક હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં હિતેશ મુછડીયાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News