મોરબી જિલ્લા ભાજપના માજી પ્રમુખ બીપીનભાઈ દવેની પ્રદેશ ભાજપની શિસ્ત સમિતિમાં વરણી
મોરબી નજીક પેપર મિલમાં પેપર રોલની નીચે દબાઈ જવાથી આધેડનું મોત
SHARE
મોરબી નજીક પેપર મિલમાં પેપર રોલની નીચે દબાઈ જવાથી આધેડનું મોત
મોરબીના લીલાપર જોધાપર રોડ ઉપર આવેલ પેપર મિલમાં મશીન પાસે પેપરના રોલ નીચે દબાઈ જવાથી આધેડનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ યુપીના ફિરોઝાબાદ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી નજીકની લીલાપર ચોકડી પાસે આવેલ હનુમાન મંદિર પાસે રહેતા જાનુકીપ્રસાદ કરણસિંહ મધુકર જાતે યાદવ (ઉંમર ૫૧) લીલાપર જોધાપર રોડ ઉપર આવેલ તીર્થક પેપર મીલ કારખાનામાં ફિનિશિંગ વિભાગમાં મજૂરી કામ કરતા હતા દરમિયાન પેપર રોલ મૂકવાની જગ્યાએ તેને રાત્રિના સમયે નીંદર આવી જતા તે સુઈ ગયા હતા અને પેપર રોલ પૂરો થતાં મશીન એરિયાની ઈલેક્ટ્રીક ક્રેનથી બીજો પેપર રોલ જેનો વજન આઠ ટન હતો તે પેપર રોલની જગ્યાએ પેપર રોલ ક્રેનથી પેપર રોલને મુકવા જતા પેપર રોલની નીચે દબાઈ જવાથી જાનુકીપ્રસાદ મધુકરનું મૃત્યુ નીપજ્યું હતું જે બનાવવાની તીર્થક પેપર મીલ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા પ્રકાશભાઈ વિજયશંકર આઝાદ (૨૯) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી કરીને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે