ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

સરકારના બજેટમાં મંજૂર કરેલ ૪૦૦ કરોડનો સિરામિક પાર્ક મોરબીમાં કયા બનશે તે હજુ પ્રશ્ન: ઉદ્યોગકારોમાં ગણગણાટ


SHARE











સરકારના બજેટમાં મંજૂર કરેલ ૪૦૦ કરોડનો સિરામિક પાર્ક મોરબીમાં કયા બનશે તે હજુ પ્રશ્ન: ઉદ્યોગકારોમાં ગણગણાટ

મોરબીની આસપાસમાં વિશ્વ કક્ષાનો સિરામિક ઉદ્યોગ આવેલ છે જો કે, આ ઉદ્યોગના પાણી, લાઇટ, રસ્તા સહિતના પ્રશ્નોને વર્ષોથી ઉકેવામાં આવેલ નથી તે હક્કિત છે અને જયારે પણ બજેટ આવે છે ત્યારે આહિના આગેવાનો શિટના ઉદ્યોગકારો દ્વારા સરકાર પાસે પ્રાથમિક સુવિધાને લગતી આશ અને અપેક્ષાઓ જ રજૂ કરવામાં આવતી હોય છે ત્યારે હાલમાં મોરબીના સિરમાઈક ઉદ્યોગકારોમાં સિરામિક પાર્કને લઈને ગણગણાટ શરૂ થયો છે અને ૧૦ મહિના પહેલા ગુજરાત સરકારના બજેટમાં ૪૦૦ કરોડનો સિરામિક પાર્ક મંજૂર કરવામાં આવ્યો હતો જો કે, આ સિરામિક પાર્ક કયા બનાવવામાં આવશે અને સરકારે મંજૂર કરેલા ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કયા કરવામાં આવશે તેનું આજની તારીખે કોઈ ઠેકાણું નથી અને સરકારના આગામી બજેટ માટેની હવે તૈયારીઓ થવા લાગી છે

મોરબી સિરામિક એસોસિયેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારમાં પ્રાથમિક સુવિધા સહિતની માંગણીઓ કરવામાં રહી હતી જેને ધ્યાને લેવામાં આવી નથી અને આજની તારીખે મોરબીની આસપાસમાં આવેલા સિરામિકના કારખાનામાં કામ કરતાં બે લાખ કરતાં વધુ શ્રમિકો અને તેની સાથે રહેતા તેના પરિવારજનો માટે શુધ્ધ પીવાનું પાણી કારખાનામાં આપી શકાય તેવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી નથી તે હક્કિત છે દરમિયાન ગુજરાત રાજ્ય સરકારનું  છેલ્લે નાણાંકીય વર્ષ ૨૦૨૨-૨૩ નું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તેમાં મોરબીના સિરામિક ઝોનની અંદર ઇન્ટરનેશનલ કક્ષાનો સિરામિક પાર્ક બનાવવા માટે સરકાર દ્રારા ૪૦૦ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા જો કે, આ જાહેરાતને આજની તારીખે ૧૦ મહિના જેટલો સમય વીતી ગયો છે તો પણ હજુ સુધી સિરામિક પાર્કના કોઈ ઠેકાણા નથી જેથી કરીને આ સિરામિક પાર્ક બનશે કે કેમ તે પ્રશ્ન ઊભો થયો છે

મોરબીની આસપાસના સિરામિક કારખાનામાં બનતી સિરામિક ટાઇલ્સને દેશના દરેક ખૂણામાં તેમજ વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવતી હોય છે ત્યારે  દેશના જુદા-જુદા રાજયોમાંથી તેમજ ઇન્ટરનેશનલ ગ્રાહકો મોરબી આવતા હોય છે. પરંતુ બસ સ્ટેશન કે શહેરના મુખ્ય માર્ગમાંથી જ્યારે ખરીદનાર ઉદ્યોગપતિના કારખાના સુધી પહોંચે તે દરમિયાન માલની ખરીદનાર મોરબી શહેરની ગંદકી, તૂટેલા ગાબડાયુકત રોડ અને મગરમચ્છની પીઠ જેવા ઉબડખાબડ રસ્તાઓ તેમજ ધૂળની ઉડતી ડમરીઓ જ જોવા મળતી હતી તેનાથી વિશેષ મોરબીના સિરામિક ઝોનમાં પણ કોઈ સારી સુવિધાઓ નથી જેથી કરીને આ સમગ્ર સમસ્યાઓના નિરાકરણ માટે સિરામીક એસો. તેમજ ઉદ્યોગકારો દ્વારા ઘણા સમયથી સરકાર પાસે પ્રાથમિક સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેમજ પાણી, લાઇટ અને રોડ-રસ્તા સહીતનું સ્થાનીક ઇન્ફ્રાસ્ટ્રકચર સુધારવામાં આવે તેવી માગણી સરકારમાં કરવામાં આવી છે અને જયારે પણ બજેટ જાહેર થવાનું હોય છે ત્યાર પહેલા આગેવાનો અને ઉદ્યોગકારો દ્વારા પ્રાથમિક સુવિધામાં સુધારો કરવા માટેની જ માંગ કરવામાં આવે છે

આજની તારીખે સીરામીક સીટી તરીકે દુનીયાભરમાં ઓળખ ધરાવતા મોરબી સિટીમાં ભારતના અન્ય રાજયોના જ નહીં પણ દુનીયાના અન્ય દેશોના લોકો પણ મોરબી આવતા હોય છે ત્યારે સિરામિક ઝોનમાં ભાંગેલા રોડ સહિતની અસુવિધાના લીધે મોરબીની આબરૂ ખરડાઈ ગઈ હતી તેવા સમયે સિરામીક એસો. દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલ વારંવારની રાજુયાતોને ધ્યાને લઈને સિરામિક ઉદ્યોગકારોને રાજી કરવા માટે ગત નાણાકીય બજેટમાં મોરબીના સીરામીક ઝોન માટે ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે "ઈન્ટરનેશનલ કક્ષાનો સિરામિક પાર્ક" બનાવવા માટેનું કામ મંજુર કર્યું હતું જો કે, આ જાહેરાતને આજની તારીખે ૧૦ મહિના જેટલો સમય વીતી ગયો છે તો પણ હજુ સુધી ઈન્ટરનેશનલ કક્ષાના સિરામિક પાર્ક માટેનું શું આયોજન છે ?, કયા બનાવવામાં આવશે ?, મોરબીના સિરામિક ઉદ્યોગકારોને આ ઈન્ટરનેશનલ કક્ષાના સિરામિક પાર્કથી શું ફાયદો થવાનો છે ? કઈ કઈ કામગીરીમાં આ ૪૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે તે સહિતની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા અધિકારીઓ કે પછી સરકાર દ્વારા કરવામાં આવી નથી જેથી કરીને આ ૪૦૦ કરોડ ખરેખર વાપરવામાં આવશે કે કેમ તે પણ સવાલ ઊભો થયો છે






Latest News