ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબીના ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું


SHARE











મોરબીના ત્રિમંદિર ખાતે જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન ખુલ્લું મુકાયું

જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર, જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ પ્રેરિત, મોરબી જિલ્લા શિક્ષણ સમિતી અને   બી.આર.સી. મોરબી આયોજિત જિલ્લા કક્ષાનું પ્રાથમિક વિભાગનું વિજ્ઞાન, ગણિત, પર્યાવરણ પ્રદર્શન તા.૪ થી ત્રિમંદિર નવલખી રોડ ખાતે ખુલ્લું મુકાયું છે આ પ્રદર્શનનો  મુખ્ય વિષય ટેક્નોલોજી અને રમકડાં છે જેમાં ડાયેટ રાજકોટના પ્રાચાર્ય ડૉ.સંજયભાઈ મહેતા, મોરબી જિલ્લા  શિક્ષણાધિકારી નિલેશભાઈ રાણીપા, મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રવિણભાઈ અંબારિયા, ડેપ્યુટી ડીપીસી પ્રવિણભાઈ ભોરણિયા હાજર રહ્યા હતા મોરબીના બી.આર.સી. કૉ. ચિરાગભાઈ આદ્રોજાએ સ્વાગત પ્રવચન અને ડાયેટ રાજકોટના વિજ્ઞાન સલાહકાર દીપાલીબેન વડગામાએ પ્રદર્શનની રૂપરેખા આપી હતી આ પ્રદર્શનમાં તાલુકા કક્ષાએથી ઉત્તમ પાંચ પાંચ કૃતિઓ મળી કુલ ૨૫ શાળાઓના ૫૦  બાળકોની સાથે ૨૫ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો. અને જીતેન્દ્રભાઈ પાંચોટિયા તેમજ રામજીભાઈ જાકાસણિયાના અનુક્રમે 'શબ્દચિત્ર'  અને 'વિજ્ઞાન પ્રયોગો' ના પ્રદર્શનો ગોઠવાયા હતા આ તકે ટીપીઇઓ હળવદ દીપાબેન બોડાટીપીઇઓ વાંકાનેર મંગુભાઈ પટેલ, ટીપીઇઓ માળિયા ડૉ. શર્મિલાબેન હુંમલ, બી.ર.સી.કો.ઑ.  ટંકારા કલ્પેશભાઈ ફેફર, બી.ર.સી.કો.ઑ. હળવદ મિલનભાઈ પટેલ, બી.ર.સી.કો.ઑ. વાંકાનેર મયુરસિંહ પરમાર, બી.ર.સી.કો.ઑ. માળિયા મહેન્દ્રસિંહ રાઠોડે તથા મોરબીના તમામ સીઆરસીઓએ હાજરી આપી હતી. અને આ કાર્યક્રમને સફળ બનાવવા મોરબી સી.આર.સી. કૉઓર્ડિનેટર ટીમે જહેમત ઉઠાવી હતી. આ પ્રદર્શન જોવા બી.ર.સી.કો.ઑ. ચિરાગભાઈએ અપીલ કરી છે.






Latest News