વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા મોરબીમાં પ્રેમ પ્રકરણમાં યુવતીના ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર ફાયરિંગ કરવાના ગુનામાં 5 પૈકી 4 આરોપીની ધરપકડ મોરબીના થોરાળા ગામે ગેસ એજન્સીના ગોડાઉનમાંથી ગેસના બાટલાની ચોરી કરનાર આરોપી 1.49 લાખના મુદામાલ સાથે પકડાયો
Breaking news
Morbi Today

મોરબીની આલાપ સોસાયટીમાં રસ્તા ઉપરથી દબાણ હટાવવા ૧૦ દિવસની મુદત: કમિટીનો નિર્ણય


SHARE









મોરબીની આલાપ સોસાયટીમાં રસ્તા ઉપરથી દબાણ હટાવવા ૧૦ દિવસની મુદત: કમિટીનો નિર્ણય

મોરબીની આલાપ સોસાયટીના ૮૦ ફૂટના રોડ પર જે એક સાઈડ રસ્તો ચાલુ છે અને તે રસ્તા પર રહેતા લોકોએ તા.૨૮/૬/૨૨ ના રોજ રોડ સાઈડમાં વર્ષોથી કરેલ દબાણ દૂર કરવા માટે પત્ર લખીને સોસાયટીની કમિટીને દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરી હતી જેથી કરીને દબાણ કરનારાઓને તેનું દબાણ દૂર કરવા માટેની જાણ કરવામાં આવી હતી તો પણ તે દબાણે દૂર કરવામાં આવ્યું નથી જેથી કરીને ગઇકાલે સોસાયટીના લોકો એકત્રિત થયા હતા અને દબાણ કરનારાઓને ૧૦ દિવસની મુદત આપવાનું કમિટીએ નક્કી કરેલ છે

છેલ્લા ૬ માસથી દબાણ કરેલ રસ્તા પર રહેતા લોકો સાથે વ્યક્તિગત ચર્ચા કરીને આ પ્રશ્ન સોલ્વ કરવાના પ્રયાસ મોરબીની આલાપ સોસાયટીની કમિટી દ્વારા કરેલ હતા પરંતુ અમુક વ્યક્તિઓ દબાણ હટાવતા ન હતા જેથી કરીને કમિટીના લોકો સહિતના લોકો રાતે સોસાયટીમાં એકત્રિત થયા હતા અને લોકો માટે રોડ ખુલ્લો કરવાની ચર્ચા કરવામાં આવી હતી અને સ્થાનિક લોકો પાસેથી મળતી માહિતી મુજબ કમિટીના સભ્યો સહિતના લોકો ત્યાં આવ્યા હતા ત્યારે આ પ્રશ્નનું નિરાકરણ લાવવા માટે જે લોકોએ દબાણ કર્યું છે તેને હજુ વધુ ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આગામી ૧૫ તારીખ સુધીમાં તે લોકો જો પોતાના દબાનોને જાતે દૂર નહીં કરે તો કમિટી દ્વારા રસ્તાને ખુલ્લો કરવા માટે બુલડોઝર ફેરવી દેવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવેલ છે






Latest News