ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

સામો કેમ ચાલ્યો આવે છે કહીને વાંકાનેરના મહિકા ગામે વાડી ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE











સામો કેમ ચાલ્યો આવે છે કહીને વાંકાનેરના મહિકા ગામે વાડી ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે રહેતો યુવાન તેની વાડીએ જતો હતો ત્યારે ગરીયા ગામના શખ્સે “તુ શુ કામ સામો ચાલ્યો આવેશ” કહીને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને બાદમાં યુવાનની વાડીએ જઈને ત્રણ શખ્સો દ્વારા પાઇપ અને ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે ડિસ્ટ્રીક બેંકની બાજુમાં રહેતા ઇલ્મુદીનભાઇ હૈયાતભાઇ માથકીયા જાતે મોમીન (૩૮)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવરાજસિંહ ઉર્ફે બાબભા તખુભા વાળા રહે. ગારીયા તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાની વાડીએ ચાલીને જતા હતા ત્યારે આરોપી યુવરાજસિંહ તેનુ બાઇક લઈને સમેવ આવ્યા હતા અને ત્યારે તેને કહ્યું હતું કે, “તુ શુ કામ સામો ચાલ્યો આવેશ” અને બાદમાં ગાળો આપીને બોલાચાલી કરેલ હતી અને તેનો ખાર રાખી ફરીયાદી પોતાની વાડીએ હતો ત્યારે યુવરાજસિંહ સહિત ત્રણ શ્ખ્સોએ ત્યાં આવીને લોખંડનો પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને યુવાનને યુવરાજસિંહે માથાના ભાગે લોખંનો પાઇપ મારી ઇજા કરી હતી અને બીજા બે અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News