મોરબીના વોર્ડ નં 3 માં ઓબીસી બેઠક ઉપર આયાતી ઉમેદવાર આવશે તો ભાજપ પક્ષને નુકસાન થશે, સ્થાનિક કાર્યકર્તાઓએ કરી શહેર, જિલ્લા અને પ્રદેશમાં રજૂઆત ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા
Breaking news
Morbi Today

સામો કેમ ચાલ્યો આવે છે કહીને વાંકાનેરના મહિકા ગામે વાડી ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી


SHARE











સામો કેમ ચાલ્યો આવે છે કહીને વાંકાનેરના મહિકા ગામે વાડી ગયેલા યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે રહેતો યુવાન તેની વાડીએ જતો હતો ત્યારે ગરીયા ગામના શખ્સે “તુ શુ કામ સામો ચાલ્યો આવેશ” કહીને બોલાચાલી કરીને ગાળો આપી હતી અને બાદમાં યુવાનની વાડીએ જઈને ત્રણ શખ્સો દ્વારા પાઇપ અને ધોકા વડે માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાનાં મહિકા ગામે ડિસ્ટ્રીક બેંકની બાજુમાં રહેતા ઇલ્મુદીનભાઇ હૈયાતભાઇ માથકીયા જાતે મોમીન (૩૮)એ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવરાજસિંહ ઉર્ફે બાબભા તખુભા વાળા રહે. ગારીયા તથા બે અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તે પોતાની વાડીએ ચાલીને જતા હતા ત્યારે આરોપી યુવરાજસિંહ તેનુ બાઇક લઈને સમેવ આવ્યા હતા અને ત્યારે તેને કહ્યું હતું કે, “તુ શુ કામ સામો ચાલ્યો આવેશ” અને બાદમાં ગાળો આપીને બોલાચાલી કરેલ હતી અને તેનો ખાર રાખી ફરીયાદી પોતાની વાડીએ હતો ત્યારે યુવરાજસિંહ સહિત ત્રણ શ્ખ્સોએ ત્યાં આવીને લોખંડનો પાઇપ તથા લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને યુવાનને યુવરાજસિંહે માથાના ભાગે લોખંનો પાઇપ મારી ઇજા કરી હતી અને બીજા બે અજાણ્યા શખ્સોએ લાકડાના ધોકા વડે માર મારીને જેમ ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી






Latest News