મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન હળવદ નજીક નર્મદાની કેનાલમાં ન્હાવા પડેલા 10 પૈકી બે યુવાન ડૂબી જતા શોધખોળ શરૂ કમોસની વરસાદ: મોરબી જિલ્લામાં ધૂળ-કોલસીની ડમરી તેમજ પતરા અને હોર્ડિંગ બોર્ડ ઉડ્યા, ખેડૂતો-અગરિયાઓને મોટું નુકસાન મોરબીમાં દલવાડી સર્કલથી પંચાસર ચોકડી વચ્ચે રોડ સાઈડમાંથી ધૂળ-મેટલ ઉપાડવા કોંગ્રેસનાં આગેવાનની રજૂઆત માળીયા (મી)નાં સોનગઢ નજીક ખાનગી કંપનીની વીજ પોલ નમી ગયો મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળી નિમિતે દરરોજ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઈરાન-ઇઝરાયલ યુદ્ધની અસર: મોરબીમાં આવેલ પેકેજિંગના યુનિટોને ટકાવી રાખવા માટે 15 થી 20 ટકા જેટલો ભાવ વધારો નિશ્ચિત મોરબીના સભારાવાડી પ્રાથમિક શાળાના શિક્ષક સિસ્ટર નિવેદિતા એવોર્ડથી સન્માનિત
Breaking news
Morbi Today

ફટકડીના શોખીનો સાવધાન: હળવદમાં લાઇસન્સ વાળી પિસ્તોલ ઘરે સાફ કરતા સમયે ફાયરિંગ થતાં કારખાનેદારનું મોત 


SHARE













ફટકડીના શોખીનો સાવધાન: હળવદમાં લાઇસન્સ વાળી પિસ્તોલ ઘરે સાફ કરતા સમયે ફાયરિંગ થતાં કારખાનેદારનું મોત 

મોરબી જિલ્લાના હળવદમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં પોતાના ઘરે યુવાન પિસ્તોલ સાફ કરતો હતો ત્યારે તેમાંથી ફાયરિંગ થઈ ગયું હતું જેથી ઈજા પામેલ યુવાનને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ લઈ જતા હતા ત્યારે રસ્તામાં તે યુવાનનું મોત નીપજયું હતુ જેથી મૃતક યુવાનના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો છે અને આ બનાવની હાલમાં હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં બંસીધર ઓઇલ મીલ ધરાવતા અને હળવદમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં રહેતા લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વરુ જાતે આહિર (ઉંમર ૪૬) ને પોતાની પિસ્તોલમાંથી ફાયરિંગ થઈ જતા ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર માટે અમદાવાદ લઈને જતાં હતા દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી પ્રમાણે લક્ષ્મણભાઈ ગોવિંદભાઈ વરુ પોતાના ઘરે હતા ત્યારે તે પોતાની પિસ્તોલ સાફ કરી રહ્યા હતા દરમિયાન તેમાંથી ફાયરિંગ થઈ ગયું હોવાથી તેને માથાના ભાગે ઈજા થઈ હતી માટે તેને સારવારમાં અમદાવાદ લઈને જતા હતા દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જેથી કરીને મૃતક લખમણભાઇ વરુના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે હાલમાં હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે




Latest News