હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વ્રજ સોસાયટીના લોકોએ એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દેતા વિવાદ: કલેકટરને આવેદનપત્ર આપ્યું


SHARE







મોરબીમાં વ્રજ સોસાયટીના લોકોએ એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દેતા વિવાદ: કલેકટરને આવેદનપત્ર આપ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ સોસાયટીના લોકોએ વ્રજ વાટિકા એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દીધો છે જેથી કરીને હાલમાં સોસાયટીના લોકોએ અને એપાર્ટમેન્ટના લોકો વચ્ચે વિવાદ ઊભો થયો છે અને હાલમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને વર્ષોથી જે રસ્તો હતો તે રસ્તાને ખુલ્લો કરવાની માંગ કરી છે

મોરબી રવાપર રોડ ઉપર આવેલ વ્રજ સોસાયટીમાં વર્ષોથી વ્રજ વાટિકા એપાટમેન્ટ આવેલ છે અને ત્યાં ફ્લેટમાં રહેતા લોકો માટે જે રસ્તો વર્ષોથી ખુલ્લો હતો તેને હાલમાં સોસાયટીના લોકોએ બંધ કરી દીધેલ છે જેથી કરીને આ મુદે વિવાદ થયો છે અને વ્રજ વાટિકા એપાટમેન્ટના ફ્લેટ ધારકોએ વ્રજ વાટિકા સોસાયટીના લોકો વિરુદ્ધ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને હાલમાં જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેને સત્વરે ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરી છે અને અત્રે ઉલેખનીય છે કે, વ્રજ વાટિકા એપાટમેન્ટમાં છેલ્લા ૨૨ વર્ષથી ૭૦ જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે અને તેઓ જે રસ્તાનો ઉપયોગ કરતાં હતા તે રસ્તાને દિવાલ ચણીને બંધ કરવામાં આવેલ છે જેથી કરીને ઇમર્જન્સી સમયે ઘણી મુશ્કેલી પડે તેમ છે જેથી કરીને આ વિવાદનો યોગ્ય નિકાલ કરવા માટે વ્રજ વાટિકા એપાર્ટમેન્ટના લોકોએ આવેદનપત્ર આપીને માંગ કરી છે






Latest News