મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબી તાલુકાનાં લુંટ/ ધાડ-લુંટની કોશિશના બે ગુનામાં નાસતો ફરતો આરોપી 30 વર્ષે પકડાયો ઈરાન-ઇઝરાઈલ યુદ્ધના લીધે મોરબી પેપર મિલ ઉદ્યોગના 800થી વધુ કન્ટેનરો દરિયાઈ માર્ગ-પોર્ટ ઉપર ફસાયા મોરબીના જુના બસ સ્ટેશન પાસે અપરણિત યુવાને ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત હળવદના દીઘડીયા ગામ પાસેથી 288 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક ઝડપાયો, 5.56 લાખના મુદ્દામાલ કબજે વિશ્વ શાંતિ માટે મોરબીમાં આગામી ગુરુવારે નવકાર મંત્ર જાપનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં વ્રજ સોસાયટીના લોકોએ એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દેતા વિવાદ: કલેકટરને આવેદનપત્ર આપ્યું


SHARE











મોરબીમાં વ્રજ સોસાયટીના લોકોએ એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દેતા વિવાદ: કલેકટરને આવેદનપત્ર આપ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ સોસાયટીના લોકોએ વ્રજ વાટિકા એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દીધો છે જેથી કરીને હાલમાં સોસાયટીના લોકોએ અને એપાર્ટમેન્ટના લોકો વચ્ચે વિવાદ ઊભો થયો છે અને હાલમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને વર્ષોથી જે રસ્તો હતો તે રસ્તાને ખુલ્લો કરવાની માંગ કરી છે

મોરબી રવાપર રોડ ઉપર આવેલ વ્રજ સોસાયટીમાં વર્ષોથી વ્રજ વાટિકા એપાટમેન્ટ આવેલ છે અને ત્યાં ફ્લેટમાં રહેતા લોકો માટે જે રસ્તો વર્ષોથી ખુલ્લો હતો તેને હાલમાં સોસાયટીના લોકોએ બંધ કરી દીધેલ છે જેથી કરીને આ મુદે વિવાદ થયો છે અને વ્રજ વાટિકા એપાટમેન્ટના ફ્લેટ ધારકોએ વ્રજ વાટિકા સોસાયટીના લોકો વિરુદ્ધ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને હાલમાં જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેને સત્વરે ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરી છે અને અત્રે ઉલેખનીય છે કે, વ્રજ વાટિકા એપાટમેન્ટમાં છેલ્લા ૨૨ વર્ષથી ૭૦ જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે અને તેઓ જે રસ્તાનો ઉપયોગ કરતાં હતા તે રસ્તાને દિવાલ ચણીને બંધ કરવામાં આવેલ છે જેથી કરીને ઇમર્જન્સી સમયે ઘણી મુશ્કેલી પડે તેમ છે જેથી કરીને આ વિવાદનો યોગ્ય નિકાલ કરવા માટે વ્રજ વાટિકા એપાર્ટમેન્ટના લોકોએ આવેદનપત્ર આપીને માંગ કરી છે






Latest News