મોરબીનાં પીપળીયા ગામે લેવાના નીકળતા હાજરીના રૂપિયા માંગતા યુવાનની હત્યા કરનારા બે આરોપીને આજીવન કેદની સજા મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળનું જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનને સમર્થન હાલમાં તમે ખેડૂતોને હેરાન કરો છો, 2027 માં આ ખેડૂતો તમને હેરાન કરી મુકશે: મોરબીના જેતપર ગામે આંદોલનના મંચ ઉપરથી સરકારને મહિલાની ખુલ્લી ચેલેન્જ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે ગાડીમાંથી 222 બોટલ દારૂ ઝડપાયો, 7.03 લાખનો મુદામાલ કબ્જે: આરોપીની શોધખોળ તેરા તુજકો અર્પણ: માળીયા (મી) પોલીસે 2.10 લાખની કિંમતના 10 મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપ્યા ચોમાસાની પૂર્વતૈયારીઓ સંદર્ભે મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને ‘પ્રિ-મોન્સૂન’ બેઠક યોજાઈ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેની અધ્યક્ષતામાં ‘જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ’ની બેઠક પ્રજાલક્ષી પ્રશ્નો અને અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરવા તાકીદ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેના અધ્યક્ષસ્થાને પ્રવાસન વિકાસ સોસાયટીની બેઠક યોજાઈ; મચ્છુ ડેમ-૨ માં આઈલેન્ડ વિકસાવવા અંગે થઈ ચર્ચા
Breaking news
Morbi Today

મોરબીમાં વ્રજ સોસાયટીના લોકોએ એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દેતા વિવાદ: કલેકટરને આવેદનપત્ર આપ્યું


SHARE









મોરબીમાં વ્રજ સોસાયટીના લોકોએ એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દેતા વિવાદ: કલેકટરને આવેદનપત્ર આપ્યું

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ વ્રજ સોસાયટીના લોકોએ વ્રજ વાટિકા એપાર્ટમેન્ટનો રસ્તો બંધ કરી દીધો છે જેથી કરીને હાલમાં સોસાયટીના લોકોએ અને એપાર્ટમેન્ટના લોકો વચ્ચે વિવાદ ઊભો થયો છે અને હાલમાં એપાર્ટમેન્ટમાં રહેતા લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને વર્ષોથી જે રસ્તો હતો તે રસ્તાને ખુલ્લો કરવાની માંગ કરી છે

મોરબી રવાપર રોડ ઉપર આવેલ વ્રજ સોસાયટીમાં વર્ષોથી વ્રજ વાટિકા એપાટમેન્ટ આવેલ છે અને ત્યાં ફ્લેટમાં રહેતા લોકો માટે જે રસ્તો વર્ષોથી ખુલ્લો હતો તેને હાલમાં સોસાયટીના લોકોએ બંધ કરી દીધેલ છે જેથી કરીને આ મુદે વિવાદ થયો છે અને વ્રજ વાટિકા એપાટમેન્ટના ફ્લેટ ધારકોએ વ્રજ વાટિકા સોસાયટીના લોકો વિરુદ્ધ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી છે અને હાલમાં જે રસ્તો બંધ કરવામાં આવ્યો છે તેને સત્વરે ખુલ્લો કરવામાં આવે તેવી માંગ કરી છે અને અત્રે ઉલેખનીય છે કે, વ્રજ વાટિકા એપાટમેન્ટમાં છેલ્લા ૨૨ વર્ષથી ૭૦ જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે અને તેઓ જે રસ્તાનો ઉપયોગ કરતાં હતા તે રસ્તાને દિવાલ ચણીને બંધ કરવામાં આવેલ છે જેથી કરીને ઇમર્જન્સી સમયે ઘણી મુશ્કેલી પડે તેમ છે જેથી કરીને આ વિવાદનો યોગ્ય નિકાલ કરવા માટે વ્રજ વાટિકા એપાર્ટમેન્ટના લોકોએ આવેદનપત્ર આપીને માંગ કરી છે






Latest News