ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલ્તાનપુર ગામે રહેતા યુવાન પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા બે સામે ફરિયાદ: એકની ધરપકડ


SHARE













માળીયા (મી)ના સુલ્તાનપુર ગામે રહેતા યુવાન પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા બે સામે ફરિયાદ: એકની ધરપકડ

માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગામે રહેતા યુવાને હાલમાં બે શખ્સોની સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં હોવાની અને બળજબરીથી તેનું ટ્રેક્ટર લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે તેમજ આરોપીઓ દ્વારા તેને ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વ્યાજખોરની સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા ભુપતભાઈ ભગવાનજીભાઈ દસડીયા જાતે પટેલ (૪૬) એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ તથા દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવી રહે. મોરબીવાળાની સામે વ્યાજ બાબતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે અમુભાઈ પાસેથી તેણે માસિક પાંચ ટકા લેખે અઢી લાખ રૂપિયા લીધા હતા અને દેવીસિંહ પાસેથી તેણે પાંચ ટકા લેખે દોઢ લાખ રૂપિયા લીધા હતા અને આરોપી અમુભાઇએ તેની પાસેથી બે કોરા ચેકમાં સહી કરાવી હતી તેમજ દેવીસિંહને તેનું માલિકીનું ટ્રેકટર બળજબરીથી લઈ લીધું છે તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને ગાળો આપીને ધાક ધમકી આપી રહ્યા છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વ્યાજખોરોની સામે ગુનો નોંધીને હાલમાં અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડની ધરપકડ કરેલ છે અને દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News