મોરબીમાં મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી હળવદના ઢવાણા ગામનો બનાવ: પિતાની હત્યાનો કેસ પાછો ખેંચવાની ના કહેતા યુવાનને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો, મારી નાખવાની ધમકી મોરબીના બેલા ગામ પાસે દૂકનમાંથી 100 કિલો કોપર વાયર સહિત 1.42 લાખના મુદામાલની ચોરી: ઘુનડા (સ) ગામે તળાવ પાસેથી 20 કિલો કોપર વાયરની ચોરી મોરબી નજીક કારખાનામાં પેપર રોલ માથે પડવાથી શ્રમિક યુવાનનું મોત: ત્રાજપર ખરીમાં જુગાર રમતા બે પકડાયા મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સુલ્તાનપુર ગામે રહેતા યુવાન પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા બે સામે ફરિયાદ: એકની ધરપકડ


SHARE









માળીયા (મી)ના સુલ્તાનપુર ગામે રહેતા યુવાન પાસેથી પઠાણી વ્યાજની ઉઘરાણી કરનારા બે સામે ફરિયાદ: એકની ધરપકડ

માળીયા (મી) તાલુકાના સુલતાનપુર ગામે રહેતા યુવાને હાલમાં બે શખ્સોની સામે વ્યાજની પઠાણી ઉઘરાણી કરતાં હોવાની અને બળજબરીથી તેનું ટ્રેક્ટર લઈ ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે તેમજ આરોપીઓ દ્વારા તેને ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને વ્યાજખોરની સામે માળિયાની તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરેલ છે અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

માળીયા મીયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા ભુપતભાઈ ભગવાનજીભાઈ દસડીયા જાતે પટેલ (૪૬) એ હાલમાં માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડ તથા દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવી રહે. મોરબીવાળાની સામે વ્યાજ બાબતની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે અમુભાઈ પાસેથી તેણે માસિક પાંચ ટકા લેખે અઢી લાખ રૂપિયા લીધા હતા અને દેવીસિંહ પાસેથી તેણે પાંચ ટકા લેખે દોઢ લાખ રૂપિયા લીધા હતા અને આરોપી અમુભાઇએ તેની પાસેથી બે કોરા ચેકમાં સહી કરાવી હતી તેમજ દેવીસિંહને તેનું માલિકીનું ટ્રેકટર બળજબરીથી લઈ લીધું છે તથા વ્યાજની પઠાણી ઉઘરાણી કરી રહ્યા છે અને ગાળો આપીને ધાક ધમકી આપી રહ્યા છે જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે વ્યાજખોરોની સામે ગુનો નોંધીને હાલમાં અમુભાઈ પ્રભાતભાઈ રાઠોડની ધરપકડ કરેલ છે અને દેવીસિંહ પ્રતાપસિંહ ગઢવીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News