ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના ચાંચપર પાસે સગા ભાઈએ ભાઈની હત્યા કરી હોવાનો ધડાકો


SHARE













મોરબીના ચાંચપર પાસે સગા ભાઈએ ભાઈની હત્યા કરી હોવાનો ધડાકો

મોરબીના ચાંચપર ગામ નજીક યુવાનની હત્યા કરેલ લાશ મળી આવી હતી જે બનાવમાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે અને હત્યાનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે જેમાં મૃતક યુવાને તેની જ જનેતા સાથે ખરાબ કૃત્ય આચરવાની કોશિશ કરી હતી જેથી તેને તેના જ સગાભાઈએ મારી નાખ્યો હતો

જાણવા મળતી માહિતી માટે મોરબીના ચાંચપર ગામે વોકળામાંથી યુવાનની લાશ મળી હતી જેથી કરીને પોલીસે તપાસ શરૂ કરી હતી જેમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે અને મૃતક યુવાનની હત્યા તેના જ સગા ભાઈએ કરી છે તેવું સ માએ આવ્યું છે જે બનાવમાં હત્યા કરનારા શખ્સની સામે તેના મિત્ર રાજેશ ઉમેશપ્રસાદ પાંડેએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સામે ફરિયાદ નોંધાવી છે, કે આનંદ અશોકભાઈ મીશ્રા રહે. મીશ્રવલીયા જી. રોહતાસ (બીહાર) હાલ- વૈભવ, પોલીવીવ, કારખાનામાં, થોરાળા ગામની સીમ વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેને જણાવ્યુ છે કે, મૃતક રાજન મિશ્રા તેમજ તેનો ભાઈ આનંદ મિશ્રા સાથે કામ કરતા હતા અને થોડા સમય પહેલા રાજન બિહારથી રોજી રોટી માટે થોરાળા આવ્યો હતો અને ત્રણેય એક જ ઓરડીમાં રહેતા હતા. જો કે, રાજન મિશ્રા ચોરી ચપાટી કરતો હતો અને તેમજ સગી માતા સાથે બે ત્રણ વખત ખરાબ કૃત્ય કરવા કોશિશ કરી હતી અને થોડા સમય પહેલા રાજેશ, આનંદ અને રાજન ત્રણેય ચાંચપર ગામ તરફ ગયા હતા જ્યાંથી ચીકન લઈ પરત આવતા હતા ત્યારે રસ્તામાં વોકળામા ચિકન ખાવા બેઠા ત્યારે આનંદ મિશ્રાએ સગા ભાઈ રાજનને સફેદ કપડાથી ગળેટૂંપો આપ્યો હતો અને વોકળામા ભરેલ પાણીમા ડુબાડીને તેની હત્યા કરી નાખી હતી ત્યાર બાદ ફરિયાદીને હત્યારા આનંદે એવી ધમકી આપી હતી કે, આ વાત કહીશ તો તારા હાલ પણ આવા કરીશ જેથી તેને કોઈને કહ્યું ન હતું અને હાલમાં પોલીસ સ્ટેશને તે હત્યાની ફરિયાદ નોંધાવી છે જેનો પોલીસે ભેદ ઉકેલી નાખીને આરોપી આનંદ મિશ્રા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News