હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

મોરબીના વાવડી-બગથળા વચ્ચે રીક્ષા પલ્ટી જતા પ્રસંગમાં જતા પરીવારની બાળકી સારવારમાં


SHARE







મોરબીના વાવડી-બગથળા વચ્ચે રીક્ષા પલ્ટી જતા પ્રસંગમાં જતા પરીવારની બાળકી સારવારમાં

મોરબીના વાવડી અને બગથળા ગામની વચ્ચે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ઇજાગ્રસ્ત થયેલી બાળકીને સારવારમાં ખસેડવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી અને બગથળા ગામની વચ્ચે કેનાલ પાસે રીક્ષા પલ્ટી મારી જવાનો અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવની અંદર મોરબી તાલુકાના જાંબુડીયા ગામે આવેલ શક્તિપરા વિસ્તારમાં રહેતા દેવજીભાઈ વિંઝુવાડીયાની ૧૧ વર્ષની દીકરી ડિમ્પલને ઇજાઓ થતા તેણીને સારવાર માટે મોરબી ખસેડવામાં આવી હતી વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પરિવાર સાથે પ્રસંગમાં બગથળા જતા સમયે રસ્તામાં રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જેમાં ડિમ્પલને ઈજા પહોંચી હોય તેને સારવાર માટે ખસેડાઈ હતી તાલુકા પોલીસ મથકના એએસઆઈ આઈ.એમ.અજમેરી આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.

વાહન અકસ્માતમાં ઈજા

રાજકોટના કોઠારીયા રોડ ઉપર આવેલ પુનિતનગરમાં 'દેવકૃપા'માં રહેતા ગિરીશ શાંતિલાલ જોગીયા નામના ૪૫ વર્ષના યુવાનને મોરબી તાલુકાના વનાળીયા-ખીજડીયા રોડ ઉપર મસાલની વાડી પાસે વાહન અકસ્માતમાં ઇજા થતાં સારવાર માટે મોરબી ખસેડાયા હતા.પોલીસના જણાવ્યા પ્રમાણે ગીરીશભાઈ બાઇક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓ બાઇક સહિત નીચે પટકાયા હતા જેથી કરીને કોણીના ભાગે ફેક્ચર જેવી ઇજાઓ સાથે તેમને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર વિસ્તારમાં રહેતા અમિત જગદીશ સેજપાલ નામનો ૩૭ વર્ષનો યુવાન મોરબીના ગાંધીચોક પાસેથી બાઈક લઈને જતો હતો ત્યાં રસ્તામાં તેનું બાઈક સ્લીપ મારી જતા ઈજાઓ થતા તેને સારવાર માટે ખસેડાયો હતો.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે માળીયા હાઇવે ઉપર આવેલા રોટરીનગર ગામે રહેતા નરસીભાઈ ભલાભાઇ ભંખોડીયા નામના ૩૮ વર્ષના યુવાનને તેના ઘેર તેના પુત્રએ માર મારતા તેમને સારવાર માટે સિવિલે ખેસેડાયા હતા હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયા દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી






Latest News