મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે વિનામૂલ્યે આપશે માટી
SHARE
મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ બનાવવા માટે વિનામૂલ્યે આપશે માટી
આગામી દિવસોમાં ગણેશોત્સવ શરૂ ઠાવનો છે ત્યારે ઘરે ઘરે અને પાંડલમાં વિધ્નહર્તાનું સ્થાપન કરીને પૂજન કરવામાં આવશે ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવવા માટે જરૂરી માટી મોરબીના નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા આપવા માટેનું આયોજન કરવામા આવ્યું છે અને જે લોકોને માટીમાંથી ગણેશજીની મૂર્તિ બનાવવી હોય તેને વિના મૂલ્યે માટી આપવામાં આવશે
મોરબીમાં થોડા દિવસો પહેલા યંગ ઇન્ડિયા ગ્રુપ અને સ્વંયભુ નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા સવા લાખ પાર્થિવ શિવલિંગ બનાવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું ત્યારે શિવલિંગ બનાવવા માટે લાલા માટી મંગાવવામાં આવી હતી આ માટીનો ઉપયોગ ઇકો ફ્રેંડલી ગણેશ બનાવવા માટે થાય તેવા હેતુ સાથે વિના મૂલ્યે માટી આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકો ઘરે માટીમાંથી ગણપતિ દાદાની મૂર્તિ બનાવે તે માટે વિનામૂલ્યે માટી નીલકંઠ મહાદેવ મંદિર દ્વારા આપવામાં આવશે તેવું ત્યાના મહંત ગુલાબગીરી ગોસ્વામીએ જણાવ્યુ છે તો દેવેનભાઈ રબારીએ જણાવ્યું છે કે, ગણેશ મહોત્સવમાં પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીમાંથી લોકો ગણપતિ દાદાની મૂર્તિ બનાવીને પૂજા અર્ચના કરે તે હેતુ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે