લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના ચાર્ટર્ડ સભ્યો તથા સેવાભાવી સક્રિય લાયન સભ્યોનુ શિલ્ડ દ્વારા સન્માન કરાયું મોરબીના ઘૂંટુ ગામે આવેલ પ્રાથમિક શાળામાં ઇનોવેટિવ કાર્યક્રમ યોજાયો મોરબીના નીચી માંડલ ગામે ખેડૂતના ખેતરમાં વધુ એક વખત જેટકોની 220 કેવીની વીજ લાઈનમાંથી વાયર તૂટી પડ્યો મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ અને ડ્રેનેજ સમિતિના ચેરમેને STP પમ્પિંગ સ્ટેશન-નંદીધરની લીધી મુલાકાત મૌલા સાહેબ ડો. સૈયદના આલીકાદર મુફદ્દલ સૈફુદ્દીન (TUS) કાલે સાંજે મોરબીમાં: દાઉદી વ્હોરા સમાજમાં અનેરો ઉત્સાહ મોરબીના કલેક્ટરે જિલ્લા માર્ગ અને મકાન વિભાગ અને કાર્યપાલક ઈજનેર કચેરીની લીધી આકસ્મિક મુલાકાત વડનગર શ્રાવણોત્સવ ૨૦૨૬: રીલ સ્પર્ધામાં ભાગ લેવાની છેલ્લી તારીખ ૧૧ સપ્ટેમ્બર મોરબીની પીએમશ્રી માધાપરવાડી શાળામાં આરોગ્ય અને પર્યાવરણ જાગૃતિ વર્કશોપ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે વાર્ષિકોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડ એનાયત કરાયા સાથે સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયા


SHARE





મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે વાર્ષિકોત્સવ ઉજવાયો વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડ એનાયત કરાયા સાથે સંસ્કૃતિ કાર્યક્રમ યોજાયા

મોરબીના નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે શાળાના બાળકો માટે ફંકશન યોજવામાં આવ્યું હતું જેમાં જુદાજુદા ધોરણ માટે બે દિવસ માટે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથોસાથ શૈક્ષણિક સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને એવોર્ડ, ગિફ્ટ શિલ્ડ અને ઇનામ આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા સાથોસાથ શાળાના બાળકો દ્વારા વિવિધ સંસ્કૃતિ કાર્યક્રમમાં પણ યોજાયા હતા.

તા.૧૭ ને શુક્રવારે નવયુગ સંકુલના ધોરણ ૭ થી ૧૦ ના વિદ્યાર્થીઓના વાર્ષિક ફંક્શનનું ધમાકેદાર આયોજન કરવામાં આવ્યુ હતુ.જેમાં એવોર્ડ્સ, ગીફ્ટ, શિલ્ડ ઈનામ વિતરણ કરવામાં આવેલ.સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં રાષ્ટ્રભક્તિ, થીમ બેઝ કૃતિ અને અભિનય ગીત રજૂ કરવામાં આવેલ.આ ફંક્શન નિહાળવા બહોળી સંખ્યામાં વાલીઓએ હાજરી આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા દ્વારા પ્રેરણા પુરી પાડવામાં આવેલ હતી. મોરબીની નવયુગ સંકુલ ખાતે બે દિવસ માટે યોજાયેલ કાર્યક્રમમાં પ્રથમ દિવસ માટે કેજી થી ધો.૫ સુધીના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમોનું આયોજન થયું હતું અને ત્યારબાદ બીજા દિવસે ધો.૬ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે કાર્યક્રમોનું આયોજન થયું હતું બંને દિવસમાં કાર્યક્રમમાં એન્કર તરીકે નવયુગ સંકુલ ખાતે ધો.૪ માં અભ્યાસ કરતા અને એડવોકેટ કિશોરભાઈ બોપલિયાના પુત્ર ભવ્ય કિશોરભાઈ બોપલિયા દ્વારા એન્કરીંગ કરવામાં આવ્યુ હતુ.




Latest News