મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં લાઇટ બાબતે ચર્ચા કરવા ગયેલા વૃદ્ધને તેના મોટાભાઈએ માર મારતા મોત: હત્યાનો ગુનો નોંધાયો


SHARE















 

મોરબીમાં લાઇટ બાબતે ચર્ચા કરવા ગયેલા વૃદ્ધને તેના મોટાભાઈએ માર મારતા મોત: હત્યાનો ગુનો નોંધાયો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ ચામુંડા નગરમાં રહેતા વૃદ્ધ તેના મોટાભાઈના ઘરે લાઈટ બાબતે વાતચીત કરવા માટે ગયા હતા ત્યારે મોટાભાઈએ બોલાચાલી કરી તેને ઈંટના છુટા ઘા,  લોખંડના ફર્મા તથા લાકડા વડે માથામાં માર મારીને ગંભીર કરી હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર કારગત ન નિવડતા તેની મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના દીકરાએ હાલમાં તેના ભાઈજી સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વીગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ ચામુંડા નગરમાં રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૨૮) એ હાલમાં તેના ભાઈજી અમરશીભાઈ જેઠાભાઈ સોલંકીની સામે હત્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના પિતા પ્રેમજીભાઈ જેઠાભાઈ સોલંકી (૫૮)ને તેના મોટાભાઇ અમરશીભાઈ જેઠાભાઇ સોલંકી સાથે મકાનના પ્લોટના ભાગ બાબતે મનદુખ હોય અને લાઈટનું મીટર અમરશીભાઈના ઘરમાં છે જેથી ફરિયાદીના પિતા પ્રેમજીભાઈ તેઓના ઘરે લાઈટ બાબતે વાત કરવા માટે ગયા હતા ત્યારે અમરશીભાઈએ તેની સાથે બોલાચાલી કરીને ઇંટનો છૂટો ઘા મારીને તથા લોખંડના ફર્મા અને લાકડા વડે માથામાં માર મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને ઈજા પામેલા પ્રેમજીભાઈ સોલંકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૨, ૩૩૮ અને ૫૦૪ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News