ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ
Breaking news
Morbi Today

મોરબીમાં લાઇટ બાબતે ચર્ચા કરવા ગયેલા વૃદ્ધને તેના મોટાભાઈએ માર મારતા મોત: હત્યાનો ગુનો નોંધાયો


SHARE







 

મોરબીમાં લાઇટ બાબતે ચર્ચા કરવા ગયેલા વૃદ્ધને તેના મોટાભાઈએ માર મારતા મોત: હત્યાનો ગુનો નોંધાયો

મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ ચામુંડા નગરમાં રહેતા વૃદ્ધ તેના મોટાભાઈના ઘરે લાઈટ બાબતે વાતચીત કરવા માટે ગયા હતા ત્યારે મોટાભાઈએ બોલાચાલી કરી તેને ઈંટના છુટા ઘા,  લોખંડના ફર્મા તથા લાકડા વડે માથામાં માર મારીને ગંભીર કરી હતી જેથી કરીને ઈજા પામેલા વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જો કે સારવાર કારગત ન નિવડતા તેની મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના દીકરાએ હાલમાં તેના ભાઈજી સામે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વીગત પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીની બાજુમાં આવેલ ચામુંડા નગરમાં રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (૨૮) એ હાલમાં તેના ભાઈજી અમરશીભાઈ જેઠાભાઈ સોલંકીની સામે હત્યાની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યુ છે કે, તેના પિતા પ્રેમજીભાઈ જેઠાભાઈ સોલંકી (૫૮)ને તેના મોટાભાઇ અમરશીભાઈ જેઠાભાઇ સોલંકી સાથે મકાનના પ્લોટના ભાગ બાબતે મનદુખ હોય અને લાઈટનું મીટર અમરશીભાઈના ઘરમાં છે જેથી ફરિયાદીના પિતા પ્રેમજીભાઈ તેઓના ઘરે લાઈટ બાબતે વાત કરવા માટે ગયા હતા ત્યારે અમરશીભાઈએ તેની સાથે બોલાચાલી કરીને ઇંટનો છૂટો ઘા મારીને તથા લોખંડના ફર્મા અને લાકડા વડે માથામાં માર મારીને ઇજાઓ કરી હતી જેથી કરીને ઈજા પામેલા પ્રેમજીભાઈ સોલંકીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજ્યું હતું જેથી હાલમાં મૃતક યુવાનના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઈપીસી કલમ ૩૦૨, ૩૩૮ અને ૫૦૪ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News