મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ મોરબી જિલ્લાના સરતાનપર રોડ ઉપર કોઝવેમાં આખો ટ્રક તણાઈ ગયો મોરબીના નગર દરવાજા ચોકમાં ચાલુ વરસાદે વીજ લાઈનમાં શોર્ટ સર્કિટના લીધે કડાકા ભડાકા થતા લોકોમાં નાસભાગ મોરબી એસપી રોડના ખુણે 122 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો, એકની શોધખોળ મોરબીમાં વોર્ડ નં-2 મહીલા કોર્પોરેટર રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોચ્યા
Breaking news
Morbi Today

મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા


SHARE







મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા

મોરબીના જુના સાદુળકા ગામ પાસે મચ્છુ-3 ડેમ આવેલ છે અને તેમાં સતત પાણીની આવક ચાલી રહી છે જેથી કરીને હાલમાં ડેમ 100 ટકા ભરાઈ ગયો છે અને ડેમમાં પાણીની આવક ચાલુ હોવાથી વધારાના પાણીને મચ્છુ નદીમાં છોડવા માટે સિંચાઇ વિભાગ દ્વારા ડેમના 2 દરવાજાને 1 ફૂટ સુધી શુક્રવારે સાંજે 6 વાગ્યાથી ખોલવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું જેથી કરીને કુલ મળીને 21 ગામમાં લોકોને એલર્ટ કરવામાં આવેલ હતા.

મોરબીમાં આવેલા 10 ડેમ પૈકી અગાઉ બ્રહ્માણી -2 ડેમમાં રૂલ લેવલ સુધી ભરાયો હતો જેથી તેના દરવાજાને ખોલવામાં આવેલ હતો ત્યાર બાદ મચ્છુ-૩ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે જેથી આ ડેમના બે દરવાજાને ખોલવાના હતા જો કે, તે પહેલા ડેમની નીચે આવેલા મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુળકા, જુના સાદુળકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા(મીં) તાલુકાના દેરાળા, મેઘપર, નવાગામ, રાસંગપર, વિરવદરકા, માળિયા(મીં), હરીપર અને ફતેપર સહિત એકંદર ૨૧ ગામોના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ સિંચાઇ વિભાગ દ્વારા નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને નદીના પટમાં અવરજવર ન કરવા માટેની સૂચના આપવામાં આવેલ હતી. તેમજ માલધારીઓએ તેઓના માલ-ઢોરને સલામત સ્થળે ખસેડી લેવા માટેની પણ સૂચના આપવામાં આવેલ હતી.






Latest News