વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો
SHARE
વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં આવેલ ગૌશાળામાં દીપડાએ વાછરડીનું કર્યું મારણ: ફોરેસ્ટ વિભાગ દોડતો
વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં હરિહર ગૌશાળા આવેલી છે આ ગૌશાળમાં દીપડાએ ધામા નાખ્યા હતા અને ત્યાં એક વાછરડીનું મારણ કર્યું હતું જેથી કરીને બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટે ત્યાં પાંજરું પણ મૂકવામાં આવ્યું છે.
વાંકાનેર તાલુકામાં આવેલ ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડા આંટા ફેરા કરતાં હોય છે તેવામાં એક દીપડાએ હરિહર ગૌશાળામાં ઘુસી ગયો હતો અને ત્યાં દીપડાએ વાછરડીનું મરણ કર્યું હતું જેથી કરીને ગૌશાળાના સંચાલક દ્વારા આ બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી ત્યાર બાદ ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા માટેની કામગીરી શરુ કરવામાં આવી છે અને હાલમાં ફોરેસ્ટ વિભાગના મોનાલીબેન ક્ચોટે પાસેથી મળતી માહિતી મુજબ ગૌશાળામાં દીપડાએ મારણ કર્યું છે તે વાત ધ્યાન ઉપર આવેલ છે જેથી દીપડાને પકડવા માટે પાંજરું મૂકવામાં આવી રહ્યું છે અત્રે ઉલેખનીય છેકે, દીપડાએ વાછરડીનું મરણ કર્યું છે અને તે હાલમાં પકડાયેલ નથી જેથી આ ગૌશાળાની આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.