મોરબી-વાંકાનેર હાઇવે ઉપર કારખાને જતી યુવતીઓની પજવણી કરતા આઇસર ચાલક સામે ગુનો નોંધાયો મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ આરોપીને મદદગારી કરનાર શખ્સની ધરપકડ મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ટેન્કરની કેબીનમાં આગ લાગતા વાહનમાં નુકસાન મોરબીમાં કબ્રસ્તાન પાસેથી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવેલ યુવાનનું સારવાર દરમિયાન મોત વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા ઇકોમાં ચોરખાના બનાવીને દારૂની હેરાફેરી!: મોરબી નજીકથી 493 બોટલ દારૂ સહિત 5.28 લાખના મુદામાલ સાથે એક પકડાયો, બે ની શોધખોળ મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્રનો શનિવારથી શુભારંભ મોરબીમાં નંદીઘરના સંચાલન માટે 5 કોર્ટપોરેટરનો સમાવેશ કરીને બનાવવામાં આવી કાર્યકારી મોનિટરિંગ ટીમ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા


SHARE







વાંકાનેર નજીક છકડો રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા એકનું મોત, એકને ઈજા

વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સિરામિક કારખાનાથી આગળના ભાગમાં છકડો રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે કાર ચાલકે છકડો રીક્ષાને હડફેટે લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો. જે બનાવમાં રીક્ષા ચાલકને માથામાં ઇજા થવાથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા વ્યક્તિને માથામાં અને શરીરે ઇજાઓ થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા આ બાબતે ઈજાગ્રસ્ત યુવાનની ફરિયાદ લઈને પોલીસે હાલમાં કારના ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના હસનપર ગામે રહેતા લાલજીભાઈ ઉર્ફે લાલો ઘોઘાભાઈ ટોટા (34)એ કાર નંબર જીજે 36 એઆર 7881 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ સિમસ્ટોન સિરામિકથી થોડા આગળના ભાગમાં ફરિયાદી રિક્ષા નંબર જીજે 3 ઝેડ 4186 માં બેસીને જઈ રહ્યા હતા ત્યારે રીક્ષા ને કાર ચાલકે હડફેટ લીધી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં રીક્ષા ચાલક ભવાનભાઈ કેણાભાઈ પાંચિયા (55) ને માથામાં અને શરીરને ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં બેઠેલા ફરિયાદીને માથાના ભાગે તથા શરીરે ઇજા થતા તેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્તે નોંધાયેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં ફરિયાદી પાસેથી મળતી વખતે પ્રમાણે છકડો રીક્ષામાં મોરબીથી પાવડર ભરીને તેઓ સરધારકા રોડ ઉપર માલ ખાલી કરવા માટે થઈને જઈ રહ્યા હતા દરમિયાન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રીક્ષા ચાલક ભવાનભાઈનું મોત નીપજ્યું છે






Latest News