મોરબીમાં ગૌરક્ષક દળ તેમજ રાજનગર યુવા ગ્રુપ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી મોરબીમાં મિશન ન્યૂ ઇન્ડિયાની ટીમ દ્વારા સફાઈ કર્મચારીઓનું કરાયું સન્માન મોરબીના રફાળેશ્વર ગામે સગીરા અને હળવદના ભવાનીનગરમાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત વાંકાનેરમાં અગાઉ થયેલ માથાકૂટમાં મિત્રનું ઉપરાણું લેનારા યુવાન ઉપર છરી વડે હુમલો હળવદના જુના ઇસનપુર ગામે તું અમારા ઘરમાં ચિઠ્ઠી કેમ નાખી જાય છે કહીને યુવાનને મારી નાખવાની ધમકી: ટ્રેક્ટરમાં ધોકા મારીને કર્યું નુકશાન કેમ અમારી બહેન-દીકરીઓને કારખાનામાં કામ રાખતા નથી તેવું કહીને સુપરવાઇઝરને 3 શખ્સોએ માર માર્યો: મોરબીના બિલિયા ગામનો બનાવ મોરબીમાં શીતળા માતાજીના મંદિરે આજે મેળો: સંતાનોના આરોગ્ય માટેની માનતા પૂરી કરવા મહિલાઓની ભીડ મોરબીમાં માનવ મંદિરના વડીલો અને ગૌમાતાનો જઠરાગ્નિ ઠારી સ્વજનને શ્રદ્ધાંજલિ આપતો કાસુન્દ્રા પરિવાર
Breaking news
Morbi Today

હળવદમાં રીક્ષા પલ્ટી મારી જતા ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE





હળવદમાં રીક્ષા પલ્ટી મારી જતા ત્રણ વર્ષના બાળકનું મોત

હળવદની મોરબી ચોકડી પાસે રિક્ષા પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં પિતાની રિક્ષામાં બેઠેલા 3 વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તે બાળકનું મોત નીપજયું  છે અને આ બનાવમાં મૃતક બાળકના પિતાને પણ ઇજા થઈ હતી  જેથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે.

હળવદમાં રહેતો આનંદ જયદેવભાઈ રાણેવાડીયા (3) નામનો બાળક ગઈકાલે તા. 17/7/26 ના રોજ સાંજે 7:30 વાગ્યે તેના પિતા જયદેવભાઈ રઘુભાઇ રાણેવાડીયાની રિક્ષામાં બેસીને જતો હતો. ત્યારે હળવદ ચાર રસ્તા પાસે, જોગણી માતાના મંદિર નજીક રીક્ષા પલ્ટી મારી જતા આનંદને માથે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં તેને નજીકની હોસ્પિટલ બાદ મોરબી સિવિલે લાવ્યા હતા અહિં પ્રાથમીક સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન આનંદ રાણેવાડીયાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવમાં મૃતક  બાળકના પિતા જયદેવભાઇને પણ ઇજાઓ થયેલ છે. અને મૃતક બાળક બે ભાઈમાં મોટો હતો. અને તેના પિતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અને પરિવાર બજારમાં ખરીદી કરવા માટે જતો હતો. ત્યારે રીક્ષા પલ્ટી મારી જતા આ ગોજારો બનાવ બન્યો હતો.




Latest News