મોરબીના શિક્ષકનો અનોખો જ્ઞાનયજ્ઞ : 7 સહભાગીઓએ બે માસમાં 100 સુભાષિત યાદ કર્યા, સંસ્કૃત બોર્ડની શતસુભાષિતપંડિત યોજનાને મળ્યો વેગ મોરબીમાં હજરત કુતુબ બાવા અહેમદશા (ર.અ.) સરકારનો ઉર્ષ મુબારક કાલે ઉજવાશે હળવદમાં રીક્ષા પલ્ટી મારી જતા ત્રણ વર્ષના બાળકનું મોત મોરબીમાં નજીવી વાતમાં દુકાનદારને છરીના માથા, ગળા, પાંસળીમાં ઘા ઝીકનારા શખ્સની ધરપકડ મોરબી નજીક પેપર મિલના મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલ યુવાન સારવારમા હળવદના દેવીપુર ગામ પાસે બ્રિલિયન્ટ સ્કૂલની બસ ટ્રકમાં પાછળ ઘૂસી જતાં 8 વિદ્યાર્થીઓને ઇજા મોરબીની મીરા પાર્ક સોસાયટીમાં જુગાર-દારૂની ગેરકાયદે પ્રવૃત્તિ બંધ કરાવવા બાબતે બોલાચાલી બાદ મારામારી: હવે સામસામે ફરિયાદ મોરબીના બેલા (આ) ગામે નજીવી વાતમાં વાળા પકડીને યુવાનનું દિવાલમાં માથું અથડાવ્યૂ
Breaking news
Morbi Today

હળવદમાં રીક્ષા પલ્ટી મારી જતા ત્રણ વર્ષના બાળકનું મોત


SHARE







હળવદમાં રીક્ષા પલ્ટી મારી જતા ત્રણ વર્ષના બાળકનું મોત

હળવદની મોરબી ચોકડી પાસે રિક્ષા પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં પિતાની રિક્ષામાં બેઠેલા 3 વર્ષના બાળકને ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે રાજકોટ સુધી લઈ ગયા હતા જો કે, તે બાળકનું મોત નીપજયું  છે અને આ બનાવમાં મૃતક બાળકના પિતાને પણ ઇજા થઈ હતી  જેથી તેને પણ સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની હળવદ પોલીસને જાણ કરવામાં આવી છે.

હળવદમાં રહેતો આનંદ જયદેવભાઈ રાણેવાડીયા (3) નામનો બાળક ગઈકાલે તા. 17/7/26 ના રોજ સાંજે 7:30 વાગ્યે તેના પિતા જયદેવભાઈ રઘુભાઇ રાણેવાડીયાની રિક્ષામાં બેસીને જતો હતો. ત્યારે હળવદ ચાર રસ્તા પાસે, જોગણી માતાના મંદિર નજીક રીક્ષા પલ્ટી મારી જતા આનંદને માથે તેમજ શરીરે ગંભીર ઇજાઓ થતાં તેને નજીકની હોસ્પિટલ બાદ મોરબી સિવિલે લાવ્યા હતા અહિં પ્રાથમીક સારવાર બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર દરમિયાન આનંદ રાણેવાડીયાનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવમાં મૃતક  બાળકના પિતા જયદેવભાઇને પણ ઇજાઓ થયેલ છે. અને મૃતક બાળક બે ભાઈમાં મોટો હતો. અને તેના પિતા રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. અને પરિવાર બજારમાં ખરીદી કરવા માટે જતો હતો. ત્યારે રીક્ષા પલ્ટી મારી જતા આ ગોજારો બનાવ બન્યો હતો.






Latest News