વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો
SHARE
વાંકાનેરના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં ફરાર આરોપી ૧૧ વર્ષે નાગપુરથી પકડાયો
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના અપહરણ અને દુષ્કર્મનો ગુનો વર્ષ ૨૦૧૫ માં નોંધાયેલ હતો જે ગુનામાં છેલ્લા ૧૧ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે આરોપીને જિલ્લા એલસીબીની ટીમે નાગપુર ખાતેથી પકડીને આગળની કાર્યવાહી માટે વાંકાનેર સિટી પોલીસ હવાલે કરેલ છે.
મોરબી જિલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે અધિકારી સૂચના આપી હતી જેથી કરીને એલસીબીની ટિમ આરોપીને શોધવા માટે પ્રયત્ન કરી રહી હતી તેવામાં જયેશભાઇ વાઘેલા, બ્રીજેશભાઇ કાસુન્દ્રા તથા કૌશિકભાઇ મણવરને ખાનગી રાહે હકિકત મળેલ હતી કે, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૫ માં અપહરણ અને દુષ્કર્મનો ગુનો નોંધાયેલ હતો તે ગુના માં નાસતો ફરતો આરોપી મુસ્લીમખાન સાહાબુદીનખાન રહે, શાંતીકા નાગલા તાલુકો કામા જીલ્લો ભરતપુર રાજસ્થાન વાળો હાલે ડ્રાઇવીંગ કામ કરતો હોય અને મહારાષ્ટ્રના નાગપુર જીલ્લા ખાતેથી પસાર થવાનો છે. જેથી એલસીબીના સ્ટાફે ત્યાં જઈને તપાસ કરતાં આરોપી મુસ્લમ સાહવખાન ઉર્ફે સાહાબુદીનખાન (૩૦) રહે, નાગલા ઇશ્વરીસીંહ તાલુકો કમાન રાજસ્થાન વાળો રામટેક આર.ટી.ઓ. ચેક્પોસ્ટ, નાગપુર, મહારાષ્ટ્ર ખાતેથી મળી આવતા તેને હસ્તગત કરીને આગળની ઘટીત કાર્યવાહી અર્થે આરોપીને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આ કામગીરી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ એસ.પી.જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ બી.ડી.ભટ્ટ અને વી.જી.માલાણી તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.