મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરેથી ડ્રાઇવિંગ કરવા ગયા પછી ગુમ થયેલા વૃદ્ધનું પોલીસે ચાર વર્ષે પરિવાર સાથે કરાવ્યુ મિલન


SHARE















મોરબીમાં ઘરેથી ડ્રાઇવિંગ કરવા ગયા પછી ગુમ થયેલા વૃદ્ધનું પોલીસે ચાર વર્ષે પરિવાર સાથે કરાવ્યુ મિલન

મોરબીથી રફાળેશ્વર સોનલ કૃપા ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવિંગ કરવા ગયેલ વૃદ્ધ છેલ્લા ચાર વર્ષથી ગુમ થઈ ગયા હતા જેથી તેની પત્નીએ ગુમસુધા ફરિયાદ આપી હતી જેના આધારે પોલીસે ગુમ થયેલા વૃદ્ધને શોધવા માટે કવાયત શરૂ કરી હતી અને હાલમાં તે વૃદ્ધ અમદાવાદના બાવળા પાસે આવેલ હોટલેથી મળી આવેલ છે જેથી તેને લાવીને પોલીસે તેનું પરીવાર સાથે મિલન કરાવ્યુ છે

મોરબીના એસપી રાહુલ ત્રીપાઠીની સૂચનાથી જીલ્લામાં વણ શોધાયેલ ગુમ/અપહરણના ભોગ બનનારને શોધી કાઢવા કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી તાલુકાના પીઆઇ કે.એ. વાળાની ટિમ પણ ગુમ થયેલા તેમજ અપહરણ થયેલ લોકોને શોધવા માટે કામ કરી રહી છે ત્યારે વર્ષ ૨૦૧૯ માં મોરબી તાલુકા પોલીસ સ્ટેશને રમાબેન બટુકભાઇ કલોલા રહે. ધર્મલાભ સોસાયટી મોરબી વાળાએ તેના પતિ બટુકભાઇ રણછોડભાઇ કલોલા તા.૧૫/૦૨/૨૦૧૯ ના પોતાના ઘરેથી રફાળેશ્વર સોનલ કૃપા ટ્રાન્સપોર્ટ ખાતે ડ્રાઇવિંગ કરવા ગયેલ હતા ત્યાર બાદ તા.૨૪/૦૨/૨૦૧૯ ના રોજ ટ્રીપ કરી પરત આવી ઘરે આવ્યા ન હતા જેથી તે ગુમ થયા હોવાની જાણવા જોગ નોંધ કરીને પોલીસે તેને શોધવા માટે કવાયત શરૂ કરી હતી

હાલમાં ટેકનીકલ સોર્સ આધારે ગુમ થનાર બટુકભાઇ રણછોડભાઇ કલોલાના મોબાઇલ નંબર મેળવી અને તપાસ કરતા ગુમ થનાર અમદાવાદ જીલ્લાના બાવળા તાલુકા ખાતે હોવાનુ જાણવા મળતા તાત્કાલીક પીઆઇ કે.એ. વાળાએ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. ઝાંપડીયાને બાવળા ખાતે રવાના કર્યા હતા અને બાવળા ખાતે ઓનેસ્ટ હોટલ ખાતેથી તે મળી આવતા તેને મોરબી લાવીને સમજાવીને પોતાના ઘરે આવવા રાજી કરી ગુમ થનાર બટુકભાઇ ઉર્ફે નટવરલાલ રણછોડભાઇ કલોલા જાતે પટેલ (૬૫) રહે. ધર્મલાભ સોસાયટી મોરબી મુળ ઉમીયાનગર તાલુકો ટંકારા વાળાનું તેના પરિવાર સાથે મિલન કરાવ્યુ છે

જો કે, મોરબીથી ગુમ થયેલા બટુકભાઇને મોરબીથી પોતાના પરીવારને જાણ કર્યા વગર જતા રહેવા બાબતે પુછપરછ કરતા તેને જણાવ્યુ હતુ કે, આજથી દસેક વર્ષ અગાઉ પોતાનો જુવાનજોધ દીકરો અમિત ગળેફાંસો ખાઇને ગુજરી ગયેલ હોય જેથી મોરબીમાં પોતાનુ મન લાગતુ ન હોય અને પોતાના દીકરાના વિચારો આવતા હોય જેના કારણે કોઇને કહ્યા વગર ચાલ્યા ગયા હતા આ કામગીરી પીઆઇ કે.એ. વાળાની સૂચના મુજબ એમ.આર.ગામેતી, અશ્વીનભાઇ ઝાંપડીયા, જયેશકુમાર ચાવડા, યુવરાજસિંહ જાડેજા, ચતુરભાઇ પરમાર દ્વારા કરવામાં આવી હતી






Latest News