તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં "નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા રવિવારે કેમ્પ યોજાશે


SHARE











મોરબીમાં "નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા રવિવારે કેમ્પ યોજાશે

"નવજાત શિશુ બહેરા-મૂંગા તો નહી થાયને ?" ચિંતાનું નિવારણ કરવા માટે મોરબી ખાતે તા. ૧૨ ના રોજ તદન ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફક્ત ૧૫ સેકન્ડમાં જરૂરી ટેસ્ટ કરી આપવામાં આવશે અને તે પણ ફ્રીમાં કરી આપવામાં આવશે જેથી કરીને આયોજકો દ્વારા દરેક મા બાપેને આ કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કર્યો છે સાથો સાથ અગાઉ ઓપરેશન કરાવેલ બાળકોની તકલીફ હોય તો તેનું પણ નિરાકરણ કરી આપવામાં આવશે

આ કેમ્પમાં ચેક કરવા માટે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ૦ થી ૬ વર્ષ સુધીના બાળકોને ચેક કરવામાં આવશે જેથી કરીને તા ૧૨ ના રોજ સવારે ૯ થી ૧ સુધી ડો.પ્રેયસ પંડ્યા શિવમ હોસ્પિટલ રામચોક મોરબી ખાતે હાજર રહેવાનુ રહેશે ત્યારે માત્ર ૧૫ સેકન્ડમા ટેસ્ટ કરવાથી ખબર પડી જશે કે બહેરાશ છે કે નહીં અને આ કેમ્પનો લાભ લેવા માટે ૮૪૬૦૮ ૪૩૭૧૫ અને ૮૦૦૦૨ ૪૦૯૦૨ ઉપર નામ નોંધાવી શકાશે આ ઉપરાંત જે બાળકોના કોક્લિયર ઈંપ્લાન્ટ ઓપરેશન થઈ ગયા છે તેને કોઈ પણ તકલીફ હોય, મશીન માટે કોઈ પણ તકલીફ હોય સ્પીચ થેરાપીની કોઈ પણ તકલીફ હોય તો ડો.મેડમ સુરી ગાંધીનગરથી આવશે અને આપને મળશે તેઓએ ૧૦૦૦ થી વધુ કોક્લિયર ઓપરેશનો કરેલ છે અને ગુજરાત સરકારના ન્યૂડલ ઓફિસર છે માટે ઓપરેશન કરાવેલ બાળકોના મા બાપની મૂંઝવણ પણ આ કેમ્પમાં દૂર કરવા આવશે તેવું ચંદ્રકાન્ત દફતરી (૯૮૨૫૨ ૨૩૧૯૮) અને ડો.પ્રેયસ પંડયાએ જણાવ્યુ છે






Latest News