હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબીના ડુપ્લીકેટ રેમેડસીવર કેસમાં એક આરોપીનો જામીન ઉપર છૂટકારો


SHARE

















મોરબીના ડુપ્લીકેટ રેમેડસીવર કેસમાં એક આરોપીનો જામીન ઉપર છૂટકારો

મોરબીમાથી અંતરરાજય ડુપ્લીકેટ રેમડેસીવર ઇજેકશનનું કૌભાંડ ઝડપાયું હતુ જેમાં અત્યાર સુધીમાં ૩૨ આરોપીને પકડવામાં આવ્યા છે તે પૈકીનાં એક આરોપીની જમીન અરજી મોરબીની કોર્ટમાં મૂકવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જમીન મંજૂર કરેલ છે

મોરબીમાં કોરોના -૧૯ વાયરસ મહામારીમાં કોરોના પોઝીટીવ દર્દીઓને આપવામાં આવતા રેમડેસીવર ઇજેકશનની અછત હોવાથી બ્લેક માર્કેટીંગ કરવામાં આવતું હોવાના સમાચારો આવ્યા હતા જેથી મોરબી એલ.સી.બી.ની ટીમે શકિત ચેમ્બર-૨ રાધે હોટલ પાસે, ક્રિષ્ના ચેમ્બસ-૩ દુકાન નં. ૧૬, ૧૭ “ ઓમ એન્ટીક ઝોન ” નામની દુકાનમાં રેડ કરી હતી અને ત્યાથી ડુપ્લીકેટ રેમડેસીવર ઇજેકશન સાથે રાહુલ અશ્વિનભાઇ કોટેચા અને રવિવરાજ ઉર્ફે રાજ મનોજ હીરાણી રહે. બંન્ને મોરબી વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં આ કૌભાડમાં કુલ ૩૫ આરોપીઓના ના સામે આવ્યા હતા જેમાંથી ૩૨ આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને બાકીના ૩ આરોપી નાસતા ફરતા છે તેમ ચાર્જશીટમાં જણાવેલ છે આ આરોપીઑ પૈકીનાં ફકીર મોહનગીરી મધુસુદનગીરી એકાદસ્તલી જાતે ગીરી રહે. વાપી જિલ્લો વલસાડ વાળાની ડુપ્લીકેટ રેમડેસીવર ઇન્જકશન ઉપર લગાવવામાં આવેલ “ સ્ટીકર” ની કોમ્યુટર ઉપર આબેહુબ ડીઝાઇન બનાવવામાં ગુનામાં ધરપકડ થયેલ હતી

તેને ડીઝાઇન પોતાના મોબાઇલ મારફતે ઇમેઇલ દ્વારા સોફટ કોપી બનાવી નાગજી ઉર્ફે નાગેશ નામદેવભાઇ મોરે રહે. વાપી વાળાના મોબાઇલમાં મોકલાવેલ અને તે આરોપીઓ કોશલ વોરા અને પુનીત શાહને આ સ્ટીકરો તૈયાર કરીને આપવામાં આવ્યા હતા આ ગુન્હાના કામે ચાર્જશીટ થયા બાદ ફકીર મોહનગીરી મધુસુદનગીરી એકાદસ્તેલી જાતે ગીરીએ વકીલ પી.ડી. માનસેતા દ્વારા મોરબીના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ આશીષ ડી. ઓપ્પા સમક્ષ તારીખ ૩/૯ ના રોજ જામીન અરજી મૂકી હતી જેમાં વકીલ પી.ડી. માનસેતાએ કરેલી કાયદાકીય દલીલો અને જામીન અરજી તેમજ જુદીજુદી કોર્ટના ચુકાદા ધ્યાને લઈને આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે અને ૫૦,૦૦૦ રૂપિયા સોલવન્સી જામીન આપવામાં આવ્યા છે અને આરોપીને ગુજરાત રાજયની હદ છોડવી નહી તેવો હુકમ કરવામાં આવ્યો છે તેવું વકીલ પી.ડી. માનસેતાએ જણાવ્યુ છે




Latest News