મોરબી માળિયા તાલુકા માટે આશીર્વાદ સમાન મચ્છુ 2 ડેમ ઓવરફ્લો, 4 દરવાજા 7 ફૂટ સુધી ખોલ્યા: 29 ગામોને એલર્ટ કરાયા હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ચોરાઈ ગયેલ બુલેટ મળી આવ્યા બાદ ગુનો નોંધાયો !


SHARE







મોરબીમાં ચોરાઈ ગયેલ બુલેટ મળી આવ્યા બાદ ગુનો નોંધાયો !

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડીમાં રહેતા યુવાનના ઘર પાસેથી ૧૫ દિવસ પહેલા બુલેટની ચોરી કરવામાં આવી હતી જોકે, જે તે સમયે તેની ફરિયાદ નોંધવામાં ન આવી હતી પરંતુ ગઈકાલે ચોરાઉ બુલેટ સાથે આરોપીની ધરપકડ થઈ ગયા બાદ હવે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સોઓરડી શેરી નં-૧૨ માં સંજય કટલેરીની બાજુમાં રહેતા જયેશભાઈ હીરાભાઈ રાતડીયા જાતે ભરવાડ (ઉમર ૩૫) એ પોતાના ઘર પાસે ગત તા.૨-૩ ના રાત્રિના ૧૧ વાગ્યે પોતાનું બુલેટ જીજે ૩ કેઆર ૬૯૬૦ પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈક બીજા દિવસે સવારના ૬ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્ય શખ્સ દ્વારા ચોરી કરવામાં આવ્યું હતું જે તે, સમયે યુવાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની જાણ કરી હતી પરંતુ ત્યારે ચોરીનો ગુનો નોંધાયો ન હતો જોકે ગઈકાલે એલસીબીની ટીમ દ્વારા ચોરાઉ બુલેટ સાથે ત્રાજપર ચોકડી પાસેથી એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે ત્યાર બાદ હવે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો નોંધીને પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા થતા સારવારમા

મોરબીના શનાળા ગામ પાસે થયેલ મારામારીના બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે ખસેડાયો હતો.મૂળ મધ્યપ્રદેશનો અને હાલ મોરબીના શનાળા ગામ પાસે રહેતા લખન જગદીશભાઈ ખારવાલ નામના ૩૨ વર્ષીય યુવાનને શનાળા ગામે ચોકડી પાસે મારામારીના બનાવમાં ઈજા પામેલ હોય સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ તરફથી જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.






Latest News