મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના રાજપર નજીક બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત


SHARE













મોરબીના રાજપર નજીક બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત

મોરબીના રાજપરથી નસીતપર ગામ તરફ જવાના રસ્તા ઉપર તળાવ પાસે બાઈક સ્લીપ થઈ ગયુ હતું જેથી કરીને બાઈક લઈને જઈ રહેલા યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નિપજ્યું હતું હાલમાં મૃતક યુવાનના પત્નીની ફરિયાદ લઈને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ રાજપરના રહેવાસી અને હાલમાં મોરબીના કંડલા બાયપાસ રોડ ઉપર આવેલ અમી પેલેસની બાજુમાં ઓશો ટાવર ફ્લેટ નં-૬૦૩ માં રહેતા મહેન્દ્રભાઈ ઉર્ફે મુન્નો બાબુભાઈ સનારીયા જાતે પટેલ (ઉમર ૪૫) પોતાનું બાઈક નં. જીજે ૩૬ એબી ૬૪૫૧ લઈને મોરબી નજીકના નસીતપર ગામે ગયા હતા અને નસીતપર ગામેથી પોતાનું કામ પૂરું કરીને તેઓ પોતાના ઘર તરફ પાછા આવી રહ્યા હતા ત્યારે રાજપર અને નસીતપર ગામ વચ્ચે આવેલ તળાવ પાસે તેઓનું બાઈક કોઈ કારણોસર સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને મહેન્દ્રભાઈને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી જેથી કરીને તેનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક મહેન્દ્રભાઈના પત્ની મનિષાબેન મહેન્દ્રભાઈ સનારીયા (ઉમર ૪૬) ની ફરિયાદ લઈને પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા વૃદ્ધા પગપાળા રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે અજાણ્યા બાઈક ચાલકે તેમને હડફેટ લેતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.મોરબીની મધુરમ હોસ્પિટલ દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી અને તેમાં જણાવવામાં આવ્યું હતું કે નાની વાવડી ગામના રહેવાસી દૂધીબેન રામજીભાઈ પડસુંબીયા નામના ૭૩ વર્ષના વૃદ્ધાને વાહન અકસ્માતમાં ઇજા થતા સારવાર માટે લાવવામાં આવેલા છે તેઓ પગપાળા જતા હતા ત્યારે ગામમાં આવેલા માતાજીના મંદિર પાસે અજાણ્યા બાઈક ચાલકે તેઓને હડફેટ લેતા ઇજાઓ થતા તેમને સારવાર માટે દવાખાને ખસેડાયા છે હાલ બનાવ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.





Latest News