મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયત પાસે રજડતા ઢોરનો આતંક: બે ખુટીયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડિકે બંધાયા


SHARE





મોરબીમાં માળિયા વનાળીયા ગ્રામ પંચાયત પાસે રજડતા ઢોરનો આતંક: બે ખુટીયા યુદ્ધે ચડતા લોકોના જીવ પડિકે બંધાયા

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડી પાસે માળિયા વનાળીયા ગ્રામ પંચાયત નજીક અને અન્ય વિસ્તારની અંદર રજડતા ઢોરનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે અને અવારનવાર રજડતા ઢોર શેરી ગલીમાંથી પસાર થતા અબાલ વૃદ્ધને હડફેટે લેતા હોય તેઓને નાના મોટી ઈજાઓ થતી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં આવતા હોય છે આવી જ રીતે મોરબીના સોઓરડી પાસે આવેલ રામદેવ નગરમાં રહેતા વૃદ્ધને રજડતા ઢોરે હડફેટે લેતા તેને ઈજા થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે લઈને ગયા હતા ત્યારબાદ બીજા દિવસે માળિયા વનાળીયા ગ્રામ પંચાયત કચેરી પાસે બે ખુટીયા યુદ્ધે ચડ્યા હતા અને તેને છુટા પાડવા માટે થઈને લોકો દ્વારા પ્રયત્ન કરવામાં આવતો હતો તેમ છતાં પણ તે રજડતા ઢોર છુટા પડતા ન હોવાથી સ્થાનિક લોકોના જીવ પડીકે બંધાયા હતા અને જો યુદ્ધે ચડેલા ખુટીયા કોઈ રાહદારી વ્યક્તિને અથવા તો રહેણાંક વિસ્તારમાં રહેતા નાના બાળક અથવા મહિલાને હડફેટે લે અને જીવલેણ અકસ્માત સર્જાય અથવા તો કોઈને આજીવન શરીરમાં ખોડખાપણ રહી જાય તો તેના માટે જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે ? અત્યાર સુધીમાં મોરબી નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચા રજડતા ઢોરને પકડવા માટે સરકારી ચોપડે કરવામાં આવ્યા છે તેમ છતાં પણ મોરબી શહેરના ન માત્ર સોઓરડી અને માળિયા વનાળીયા સોસાયટી વિસ્તાર પરંતુ મોરબી શહેરના માર્ગ સમાન મુખ્ય વિસ્તાર એવા ખાટકીવાસ ચોક, સનાળા રોડ, લોહાણાપરા વિસ્તારમાં આજની તારીખે પણ રજડતા ઢોરનો આતંક અવારનવાર જોવા મળતો હોય છે અને રજડતા ઢોર યુદ્ધે ચડતા હોવાથી લોકોના જીવ પડીકે બંધાતા હોય છે આગામી સમયમાં આવા રજડતા ઢોર કોઈ માટે જીવલેણ સાબિત ન થાય તે પહેલા રજડતા ઢોરને પકડવા માટે થઈને પાલિકા દ્વારા નકર કામગીરી કરવામાં આવે તે જરૂરી છે જોકે, પાલિકાના સત્તાધીશો દ્વારા આ કામગીરી કરવામાં આવશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે




Latest News