મોરબીના રફાળેશ્વર ગામે જ્ઞાતિની વાડી પાસે જુગાર રમવાની ના પાડતા હુમલો: હોટલ, વાહન, બ્યુટી પાર્લરમાં નુકશાન કરીને લૂંટ: હવે સામસામે ફરિયાદ મોરબીમાં ચાલુ કારમાં અચાનક આગ લાગી: બે વ્યક્તિનો બચાવ મોરબી માર્કેટ યાર્ડની ચુંટણીમાં વેપારી પેનલમાં સો ટકા: ખેડૂત પેનલમાં 96 ટકા મતદાન: કાલે ફેંસલો મોરબીમાંથી સગીરાના અપહરણના ગુનામાં ફરાર આરોપી પકડાયો મોરબીમાં સતત ૧૮ માં વર્ષે સિદ્ધિવિનાયક કા રાજા ગણપતિ મહોત્સવનું આયોજન મોરબી જિલ્લામાં ૧.૬૦ કરોડના દારૂની હેરાફેરીના ગુનામાં પકડાયેલ ૩ બુટલેગર પાસા હેઠળ જેલ હવાલે વાજપાઈ બેંકેબલ યોજના: મોરબીના ચંપાબેન પરમારે સૌંદર્ય પ્રસાધનના વેપાર થકી બન્યા પગભર નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના સેવા-સમર્પણ નિમિત્તે મોરબી કમલમ્ ખાતે સેવા સંકલ્પ અભિયાન કાર્યશાળા યોજાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વીજ કંપનીનો કોન્ટ્રાકટર એક જ સર્વિસ રીક્વેસ્ટ આધારે બે ટ્રાન્સફોર્મર લઈ ગયો !: હવે છેતરીપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ


SHARE





વાંકાનેરમાં વીજ કંપનીનો કોન્ટ્રાકટર એક જ સર્વિસ રીક્વેસ્ટ આધારે બે ટ્રાન્સફોર્મર લઈ ગયો !: હવે છેતરીપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ

વાંકાનેરના નવાપરામાં ક્રીષ્ના આઇસ ફેક્ટરી પાસે પી.જી.વી.સી.એલ.ની સ્ટોર ઓફીસ આવેલ છે ત્યાંથી પી.જી.વી.સી.એલ. મા લાઇન કામ કોન્ટ્રાક્ટર રાખનારા કોન્ટ્રાકટર દ્વારા એક જ સર્વિસ રીક્વેસ્ટ નંબર આધારે બે ટ્રાન્સફોર્મર મેળવી લેવામાં આવ્યા હતા અને તે બે પૈકીનાં એક ટ્રાન્સફોર્મરને તેને વેચી નાખ્યું છે જેથી કરીને હાલમાં વાંકાનેર પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટર સામે ૧,૦૧,૨૯૫ ની કિંમતના ટ્રાન્સફોર્મરને છેતરીપીંડી અને વિશ્વાસઘાતની મેળવીને વેચી દીધું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર પરેશભાઇ શરદચંદ્ર ધુલીયા જાતે વાણીયા (૫૪)એ પી.જી.વી.સી.એલ.મા લાઇન કામ કોન્ટ્રાક્ટર અલ્પેશ જે. મેર (શ્રી નિલેષ કોન્ટ્રાક્ટર)ની સામે છેતરીપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૦૨/૦૯/૨૦૨૧ ના રોજ વાંકાનેરમાં નવાપરામાં આવેલ ક્રીષ્ના આઇસ ફેક્ટરી પાસે પી.જી.વી.સી.એલ.ની સ્ટોર ઓફીસ આવેલ છે ત્યાંથી આરોપી પી.જી.વી.સી.એલ. મા લાઇન કામ કોન્ટ્રાક્ટર છે જેથી તેને પી.જી.વી.સી.એલ.ના વાંકાનેર તાલુકાના પાજ ગામે અરજદાર માથુકીયા મહમદ અલાવદી એસ.આર. (સર્વિસ રીક્વેસ્ટ નંબર) ૧૩૫૬૫૧૮૨ વાળાને કનેક્શન આપવા માટે ૬૩ કે.વી.એ. નું ટ્રાન્સફોર્મર ઉભુ કરવા ટ્રાન્સફોર્મર સીરીયલ નંબર ૮૮૫૬ વાળુ મેળવ્યું હતું અને ત્યાર બાદ ફરી પાછા તે જ સર્વિસ રીક્વેસ્ટ નંબર ૧૩૫૬૫૧૮૨ થી ટ્રાન્સફોર્મર સીરીયલ નંબર ૯૮૮ વાળુ ૬૩ કે.વી.એ. નું મેળવ્યું હતું આમ એક જ સર્વિસ રીક્વેસ્ટ નંબરથી બે ટ્રાન્સફોર્મર લઈ લીધા હતા અને રૂપિયા ૧,૦૧,૨૯૫ નું ટ્રાન્સફોર્મર છળકપટથી સ્ટોર રૂમમાંથી મેળવીને બે પૈકીનાં સીરીયલ નંબર ૯૮૮ વાળા ટ્રાન્સફોર્મરને વેચી દઇ પી.જી.વી.સી.એલ. સાથે છેતરીપીંડી અને વિશ્વાસઘાત કરી છે જેથી કરીને હાલમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની ફરિયાદ લઈને કોન્ટ્રાક્ટર અને તેની સાથે સંડોવાયેલ હોય તેની સામે આઇપીસી કલમ ૪૦૬૪૨૦ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે




Latest News